Monday, November 24, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતે વિસ્તારવાદી હિન્દુત્વ વિચારધારા અપનાવી : પાકિસ્તાન

રાજનાથસિંહના નિવેદનથી પાકિસ્તાન ઉકાળ્યું,ભારતના પૂર્વોત્તર રાજ્યોની સમસ્યા પર ધ્યાન આપવા સલાહ આપી

dharmendravaghela by dharmendravaghela
2025-11-24 12:05:02
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા સરહદો બદલવા અને સિંધના ભવિષ્યમાં ભારતમાં પુનઃવિલય અંગે આપેલા એક નિવેદનથી પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાન આ નિવેદનને ‘વિસ્તારવાદી હિન્દુત્વ વિચારધારા’ સાથે જોડી રહ્યું છે અને બદલામાં ભારતને તેના પૂર્વોત્તર રાજ્યોની ‘સમસ્યા’ યાદ અપાવી રહ્યું છે.

રવિવારે દિલ્હીમાં સિંધી સમાજના એક કાર્યક્રમમાં સંબોધન કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, ” આજે ભલે ભૌગોલિક રીતે સિંધ ભારતનો હિસ્સો નથી, પરંતુ સભ્યતાની દ્રષ્ટિએ સિંધ હંમેશા ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને ભવિષ્યમાં તે ફરીથી ભારતમાં પાછું આવી શકે છે.” તેમણે ઉમેર્યું કે તેમની પેઢીના સિંધી હિન્દુઓએ પાકિસ્તાનમાં સિંધના વિલયને ક્યારેય સ્વીકાર્યું નથી. આ નિવેદન બાદ પાકિસ્તાનમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.આ નિવેદન પર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “આવા નિવેદનો વિસ્તારવાદી હિન્દુત્વ વિચારધારાને ઉજાગર કરે છે, જે સ્થાપિત સત્યોને પડકારે છે અને આંતરરાષ્ટ્રીય કાયદા, માન્ય સરહદોની અખંડિતતા અને રાજ્યોની સંપ્રભુતાનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે.” પાકિસ્તાને રાજનાથ સિંહ અને અન્ય ભારતીય નેતાઓને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકતી ઉશ્કેરણીજનક નિવેદનબાજીથી દૂર રહેવા જણાવ્યું છે.

પાકિસ્તાને ભારતને વણમાગી સલાહ આપતા કહ્યું કે, “ભારત સરકારે પોતાના નાગરિકો, ખાસ કરીને લઘુમતી સમુદાયોની સુસંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.” આટલેથી ન અટકતા, પાકિસ્તાને ભારતને તેના પૂર્વોત્તર રાજ્યોની સમસ્યાઓ પર ધ્યાન આપવા કહ્યું અને આરોપ લગાવ્યો કે ત્યાંના લોકો વ્યવસ્થિત રીતે અલગ-થલગ થવાનો, ઓળખ આધારિત અત્યાચાર અને સરકારી હિંસાનો સામનો કરી રહ્યા છે. ત્યારબાદ, પોતાના પરંપરાગત વલણ મુજબ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો.

Tags: indiapak reactionrajnath statement
Previous Post

દિલ્હીમાં પ્રદૂષણ મામલે વિરોધ પ્રદર્શન કરનાર લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Next Post

સુપ્રીમ કોર્ટના ૫૩માં મુખ્ય ન્યાયધીશ બન્યા જસ્ટિસ સૂર્યકાંત

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારતીય નૌસેનામાં સ્વદેશી યુદ્ધ જહાજ INS માહે સામેલ કરાયું
તાજા સમાચાર

ભારતીય નૌસેનામાં સ્વદેશી યુદ્ધ જહાજ INS માહે સામેલ કરાયું

November 24, 2025
સુપ્રીમ કોર્ટના ૫૩માં મુખ્ય ન્યાયધીશ બન્યા જસ્ટિસ સૂર્યકાંત
તાજા સમાચાર

સુપ્રીમ કોર્ટના ૫૩માં મુખ્ય ન્યાયધીશ બન્યા જસ્ટિસ સૂર્યકાંત

November 24, 2025
દિલ્હીમાં પ્રદૂષણ મામલે વિરોધ પ્રદર્શન કરનાર લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
તાજા સમાચાર

દિલ્હીમાં પ્રદૂષણ મામલે વિરોધ પ્રદર્શન કરનાર લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

November 24, 2025
Next Post
સુપ્રીમ કોર્ટના ૫૩માં મુખ્ય ન્યાયધીશ બન્યા જસ્ટિસ સૂર્યકાંત

સુપ્રીમ કોર્ટના ૫૩માં મુખ્ય ન્યાયધીશ બન્યા જસ્ટિસ સૂર્યકાંત

ભારતીય નૌસેનામાં સ્વદેશી યુદ્ધ જહાજ INS માહે સામેલ કરાયું

ભારતીય નૌસેનામાં સ્વદેશી યુદ્ધ જહાજ INS માહે સામેલ કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.