ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલમાં અમેરિકાએ મહત્વનો સુધારો કર્યો છે,આ નવા સુધારાથી
ભારતને મોટી રાહત મળી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડીલને લઈને જાહેરાત કર્યા બાદ એક્ઝિક્યુટિવ ઓર્ડર
પર સાઈન કરી લીધી છે. આ મામલે જાહેર કરાયેલી ફેક્ટશીટમાં અમેરિકાએ એક દિવસ પહેલા
મહત્ત્વપૂર્ણ સુધારા કર્યા છે, જે ભારત માટે ફાયદાકારક છે. સૌથી મોટો મુદ્દો એ છે કે, આ ડીલ હેઠળ
ભારત દ્વારા 500 અબજ ડોલરના મૂલ્યના યુએસ માલની ખરીદીને પ્રતિબદ્ધતાથી બદલીને ઇરાદા અથવા
યોજનામાં ફેરવવામાં આવી છે. આનો મતલબ એ થયો કે ભારત હવે શરત માટે બંધાયેલું નથી.આ
માત્ર યોજનાનો એક ભાગ જ ગણાશે.
વ્હાઈટ હાઉસ દ્વારા ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફેક્ટશીટ જાહેર કર્યાના એક દિવસ પછી ડીલની શરતો અને
શબ્દોમાં સુધારો કર્યો છે. જેમાં ભારત દ્વારા 500 અજ અમેરિકન ડોલરથી વધુના કિંમતના યુએસ
ઉત્પાદનો ખરીદવાની શરત પહેલા ‘પ્રતિબદ્ધ’ તરીકે વર્ણવવામાં આવી હતી, પરંતુ હવે આ શબ્દ બદલીને
‘ખરીદી કરવાનો હેતુ’માં કરવામાં આવ્યો છે, જેના કારણે આ ડીલ ભારત માટે વધુ રાહતકારક છે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું માળખું જાહેર કર્યા પછી, વ્હાઇટ હાઉસે મંગળવારે એક ફેક્ટશીટ બહાર પાડી
હતી. જેમાં ટ્રેડ ડીલની મુખ્ય શરતો પ્રકાશિત કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, ભારત તમામ
યુએસ ઔદ્યોગિક માલ અને યુએસ ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની બહોળી રેન્જ પરના ટેરિફને દૂર કરશે
અથવા ઘટાડશે.
આ સાથે તેમાં કહેવામાં આવ્યું કે, ભારતે અમેરિકન પ્રોડક્ટ્સ ખરીદવા અને 500 અબજ ડોલરથી વધુ
અમેરિકન ઉર્જા, આઈટી, કૃષિ, કોલસો સહિતના અન્ય ઉત્પાદનો ખરીદવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે.
આમ હવે આ શરતને બદલવામાં આવી છે. યુએસ વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી
મુજબ, અમેરિકાએ વધુ એક મોટો સુધારો કર્યો છે જે ભારત માટે રાહત સમાન છે. જેમાં ડીલ હેઠળ લાગુ
પ્રોડક્ટ્સ કેટેગરીમાંથી કૃષિ શબ્દેને હટાવાયો છે. જ્યારે કેટલીક વસ્તુઓમાં કઠોળનો પણ સમાવેશ થાય
છે, જેને ‘ટ્રાફિક કટ’ લિસ્ટ માંથી દૂર કરી દેવાયા છે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફેક્ટશીટના પહેલાના સંસ્કરણમાં જણાવાયું હતું કે, ભારત તમામ યુએસ
ઔદ્યોગિક માલ અને યુએસ ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની બહોળી રેન્જ પરના ટેરિફને દૂર કરશે અથવા
ઘટાડશે. જેમાં સૂકા ડિસ્ટિલર્સના અનાજ, લાલ જુવાર, બદામ, તાજા અને પ્રોસેસ્ડ ફળો, ચોક્કસ કઠોળ,
સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટ અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે.


