Tuesday, April 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પૂર્વ ક્રિકેટર સિદ્ધુના પત્ની નવજોત કૌરે બનાવી નવી રાજકીય પાર્ટી

કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ કૌરે નવી પાર્ટી બનાવતા ભાજપમાં જોડાવાની વાત ઉપર પૂર્ણવિરામ

dharmendravaghela by dharmendravaghela
2026-04-07 11:35:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસમાંથી હાંકી કઢાયા બાદ પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુના પત્ની ડો. નવજોત કૌર સિદ્ધુએ પોતાની

નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરીને ભાજપમાં જોડાવાની અટકળો પર વિરામ મૂકી દીધો છે. તેમણે

સોમવારે સોશિયલ મીડિયાના માધ્યમથી ‘ભારતીય રાષ્ટ્રવાદી પાર્ટી’ નામના નવા સંગઠનની જાહેરાત

કરી છે. પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણીના એક વર્ષ પહેલા કરવામાં આવેલી આ જાહેરાત

રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે તેમ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ પાર્ટી

રાષ્ટ્રીય સ્તરે એક નવા અને મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવશે.

પોતાના વિઝન અંગે વાત કરતા નવજોત કૌરે જણાવ્યું હતું કે, સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે

મળીને આ નવો વિકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ દેશ માટે જીવન સમર્પિત કરવાનો

અને લોકોને જે ન્યાય અને શાંતિની અપેક્ષા છે તે પરત અપાવવાનો છે. તેમણે આ પહેલને ઈશ્વરીય

હસ્તક્ષેપ ગણાવતા કહ્યું હતું કે, ઉચ્ચ ચેતના (Higher Consciousness) અને વાહેગુરુના

આશીર્વાદથી પ્રેમ અને ન્યાય પ્રદાન કરવાનું અમારું લક્ષ્ય છે. આ પાર્ટી દરેક રાજ્યમાં કામ કરવાની

ક્ષમતા અને આત્મવિશ્વાસ ધરાવે છે.પક્ષના ભાવિ કાર્યક્રમો વિશે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, તેમનું

પ્રાથમિક લક્ષ્ય પંજાબને તેના ખોવાયેલા ગૌરવ સાથે ફરી એકવાર ‘ગોલ્ડન સ્ટેટ’ બનાવવાનું છે.

પંજાબમાં એક એવી સરકારની સ્થાપના કરવામાં આવશે જે લોકોની, લોકો માટે અને લોકો દ્વારા

ચલાવવામાં આવશે, જ્યાં નિઃસ્વાર્થ સેવા અને આધ્યાત્મિક વિકાસને પ્રાધાન્ય મળશે. નવજોત કૌરના

મતે આ રાજ્યમાં લોકો કોઈપણ બાહ્ય દખલ વગર ન્યાય, સ્વતંત્રતા અને પ્રેમ સાથે જીવી શકશે અને

પંજાબ ફરી પોતાની જૂની શાન પ્રાપ્ત કરશે.

Tags: navjotkaurnew political partyPunjab
Previous Post

ચીજવસ્તુઓ લઈને પાકિસ્તાન જેવા નીકળેલું જહાજ ઈરાને રોકતા મુંબઈ તરફ વળ્યું

Next Post

યુજીસીની તમામ ફેલોશિપ અને સ્કોલરશીપ માટે હવે એબીપી સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ભારતીય મૂળના તબીબ પર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કર્યાનો આરોપ

April 7, 2026
Next Post

યુજીસીની તમામ ફેલોશિપ અને સ્કોલરશીપ માટે હવે એબીપી સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી

અમેરિકામાં ભારતીય મૂળના તબીબ પર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કર્યાનો આરોપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.