મુંબઈ મહાનગરપાલિકાના સામાન્ય સભાગૃહ દ્વારા એમનેસ્ટી સ્કીમ હેઠળ ઑક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) જારી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપ્યાના પખવાડિયા પછી પાલિકા પ્રશાસને ૧૭ નવેમ્બર, ૨૦૧૬ પહેલા કબજે કરાયેલી પરંતુ ફરજિયાત ઓસી નહીં મેળવનાર કેટલીક ઇમારતો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) રજૂ કરી છે.
પાલિકા પ્રશાસને ગાઈડલાઈન જાહેર કરી હતી, જેમાં સમગ્ર મુંબઈમાં તેના બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગના અધિકારીઓને યોજના હેઠળ અરજીઓની પ્રક્રિયા કરતી વખતે એસઓપીનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ યોજના હેઠળ ૧૭ નવેમ્બર, ૨૦૧૬ પહેલા કબજે કરાયેલી અને વ્યક્તિગત એકમોનો કાર્પેટ એરિયા ૮૦ ચોરસ મીટર સુધીનો હોય તેવા રહેણાંક, હૉસ્પિટલ અને શાળાની ઇમારતોને આવરી લેવામાં આવશે. હાલના પાલિકાના નિયમો અનુસાર ઇમારતોને ઈન્ટીમેશન ઓફ ડિસએપ્રુવલ મંજૂર યોજનાઓ અને વિકાસ/બાંધકામ પરવાનગી આપવામાં આવી હોવી જોઈએ, પરંતુ ઓસી પ્રાપ્ત થઈ ન હોવી જોઈએ.
મંજૂર કરાયેલી ગાઈડલાઈન હેઠળ એમનેસ્ટી સ્કીમ ૧૭ નવેમ્બર, ૨૦૧૬ પહેલાં કબજે કરાયેલાં રહેણાંક, હૉસ્પિટલ અને શાળાનાં મકાનો પર લાગુ થશે. એક મુખ્ય શરત એ છે કે આ ઇમારતોમાં વ્યક્તિગત એકમોનો કાર્પેટ વિસ્તાર ૮૦ ચોરસ મીટરથી વધુ ન હોવો જોઈએ. તે સમયે પ્રવર્તમાન નિયમો અનુસાર આ ઇમારતોને આઈઓડી, મંજૂર યોજના અને વિકાસ/બાંધકામ પરવાનગી પણ આપવામાં આવી હોવી જોઈએ. જોકે જે ઇમારતોને પહેલાથી જ ઓક્યુપેશન સર્ટિફિકેટ મળી ગયું છે તે આ યોજના હેઠળ આવશે નહીં. એસઓપી સ્પષ્ટ કરે છે કે ફક્ત ઇમારતનો કબજો અથવા કબજો માફી માટે લાયક બનવા માટે પૂરતો રહેશે નહીં. અરજદારોએ પહેલા સ્થાપિત કરવું પડશે કે ઇમારત પાસે જરૂરી કાયદાકીય મંજૂરીઓ છે.પાલિકા પ્રશાસને તમામ ઝોનલ ડેપ્યુટી ચીફ ચીફ એન્જિનિયર્સ (બિલ્ડિંગ પ્રપોઝલ) – જેમાં શહેર, પશ્ર્ચિમ ઉપનગર, પૂર્વીય ઉપનગર અને સ્પેશિયલ સેલનું સંચાલન કરતા લોકોને તેમના અધિકારક્ષેત્ર હેઠળના આ પૉલિસનું પાલન કરવાની સૂચના આપી છે. આ યોજના હેઠળ ઓસી આપતી વખતે મંજૂર માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ર્ચિત કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પગલું એવી ઇમારતો માટે મહત્ત્વપૂર્ણ છે જે વર્ષોથી ઓસી વગર રહી છે, છતાં મુખ્ય બાંધકામ પરવાનગીઓ મેળવી છે.





