દેશના અર્થતંત્રને ડિજિટલ ઈકોનોમી બનાવવા માટે શરૂ કરાયેલા યુપીઆઈ પેમેન્ટને છ વર્ષ સુધી મફત રાખ્યા પછી અંતે કેન્દ્ર સરકારે મંગળવારે યુપીઆઈ પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે ચાર્જ લાગુ કરવાની જાહેરાત કરી છે. એનપીસીઆઈની માર્ગદર્શિકા મુજબ હવે વેપારીઓને રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ૦.૪ ટકા ટ્રાન્ઝેક્શન ફી લાગુ પડશે. જોકે, સરકારે રૂ. ૨,૦૦૧થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર રૂ. ૮થી રૂ. ૭૫,૦૦૦થી વધુના પેમેન્ટ પર રૂ. ૩૦૦ સુધીનો ચાર્જ ફિક્સ કર્યો છે. માસિક રૂ. ૧ લાખથી વધુ ટર્ન ઓવર ધરાવતા વેપારીઓએ ૧૫ ઓક્ટોબર આ ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય વ્યક્તિથી વ્યક્તિ થતા યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગુ નહીં પડે તેમજ માસિક રૂ. ૧ લાખથી ઓછી આવકવાળા નાના વેપારીઓએ પણ આ ચાર્જ ચૂકવવો નહીં પડે.
યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનું સંચાલન કરતી સમિતિ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની મંગળવારે યોજાયેલી બેઠકમાં રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ૦.૪૦ ટકા ચાર્જ લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. એનપીસીઆઈની માર્ગદર્શિકા મુજબ માસિક રૂ. ૧ લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ હવે રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ૦.૪૦ ટકા એમડીઆર ચૂકવવાના રહેશે. એટલે કે વેપારીઓએ રૂ. ૨,૦૦૧થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર રૂ. ૮થી રૂ. ૭૫,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર રૂ. ૩૦૦ સુધીનો ચાર્જ ચૂકવવાનો રહેશે. આ ચાર્જ ગ્રાહકથી વેપારીના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગુ પડશે.





