ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા ખાતે સોમવારે વાર્ષિકોત્સવ યોજાશે જેમાં મહંત દેવપ્રસાદજી મહારાજની મુખ્ય ઉપÂસ્થતિ રહેશે. આગામી સોમવાર તા.૯ સવારે ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણારનો સંયુક્ત વાર્ષિકોત્સવ યોજાશે. આંબલા ખાતે આ વાર્ષિકોત્સવ પ્રસંગે જામનગરની સુપ્રસિદ્ધ આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજની મુખ્ય ઉપÂસ્થતિ સાથે તેમનું ઉદબોધન યોજાશે. સંસ્થાના વડા અરુણભાઈ દવે, નિયામક સુરશંગભાઈ ચૌહાણ અને પ્રશાંતભાઈ ભટ્ટના નેતૃત્વમાં આ વાર્ષિકોત્સવ આયોજનમાં સંસ્થાના રાજુભાઈ વાળા, વાઘજીભાઈ કરમટિયા તથા ડાયાભાઈ ડાંગર અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ થઈ છે.