વડોદરા
વડોદરાના નવા મેયર તરીકે નિલેશ રાઠોડના નામની જાહેરાત થઈ છે. કેયૂર રોકડિયા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોવાથી તેમણે મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે મેયરની ખુરશી નિલેશ રાઠોડને સોંપવામાં આવી છે.
વડોદરા શહેરને નવા મેયર મળ્યા છે. જેમાં મેયર તરીકે નિલેશ રાઠોડની વરણી કરાઈ છે. નિલેશ રાઠોડ વડોદરાના 26માં મેયર બન્યા છે. મહત્વનું છે કે, વડોદરાના મેયર કેયુર રોકડિયા કે સયાજીગંજ બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જેથી તેમણે ગત 21 ફેબ્રુઆરીએ તેમણે મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે તેમનું રાજીનામું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી ચિંતન દેસાઈને સોંપ્યુ હતું. જે બાદ નવા મેયર કોણ બનેશે તેના પર સૌની નજર મંડાયેલી છે.
નવા મેયર તરીકે સંગઠનની કોઇ વ્યક્તિ આવશે કે વિરોધી જૂથમાંથી આવશે તેને લઇને અટકળો તેજ બની હતી. વડોદરાના નવા મેયર લઈને અનેક નામો પર ચર્ચા ચાલી રહી હતી. એવી પણ અટકળો લગાવવામાં આવી રહી હતી કે પાલિકાના શાસકપક્ષના વિવાદિત નેતા અલ્પેશ લિમ્બાચિયા મેયર બની શકે છે. તો ચિરાગ બારોટ, નિલેશ રાઠોડ અને મનોજ પટેલનું નામ પણ મેયરની રેસમાં હતું.