સુરત કોર્પોરેશનના 10 કોર્પોરેટર ભાજપમાં ભળી ગયા છે. ત્યારબાદ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાનની ડિગ્રી માગવા મુદ્દે માનહાનિની ફરિયાદ કરી છે. ત્યારે 17 એપ્રિલે સુરતમાં આપના ગુજરાતના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંગે વિવાદાસ્પદ કોમેન્ટ બદલ ધરપકડ કરાઈ હતી. જો કે પૂછપરછ બાદ તેમને જામીન મળ્યા હતા.




