Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં જમિયત ઉલેમા ઈસ્લામની રેલીમાં બ્લાસ્ટ; 44નાં મોત:200 ઘાયલ

ખૈબર પખ્તુનખ્વા રાજ્યના બાજૌરમાં રવિવારે રેલી દરમિયાન આતંકવાદી હુમલો

aaspassdaily by aaspassdaily
2023-07-31 11:22:39
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યના બાજૌરમાં રવિવારે એક રાજકીય રેલી દરમિયાન બ્લાસ્ટ થયો હતો. પોલીસે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 44 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ છે.
ઘટના બાજૌરના ખાર વિસ્તારની છે. શાસક ગઠબંધનનો ભાગ જમીયત ઉલેમા ઇસ્લામ ફઝલની રેલી અહીં ચાલી રહી હતી. JUI-Fના વરિષ્ઠ નેતા હાફિઝ હમદુલ્લાહ આ રેલીને સંબોધિત કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર તેઓ અહીં પહોંચી શક્યા ન હતા. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં હાફિઝે કહ્યું- આ વિસ્ફોટમાં અમારા લગભગ 35 કાર્યકરો માર્યા ગયા છે. હું આ ઘટનાની નિંદા કરું છું. આવા હુમલાઓથી અમારું મનોબળ ઓછું નહીં થાય.
હાફિઝે આગળ કહ્યું- આ પ્રકારના હુમલા ભૂતકાળમાં પણ થતા રહ્યા છે. તેમની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. અમને કોઈપણ પ્રકારની સુરક્ષા પણ આપવામાં આવતી નથી. અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું. આ સમયે રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. એવું માનવામાં આવે છે કે હુમલાખોર પાર્ટીના સમર્થકો વચ્ચે જ હાજર હતો. એટલા માટે તેને ફિદાયીન હુમલો માનવામાં આવી રહ્યો છે.
JUI-Fના વડા મૌલાના ફઝલે ઘટના બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરી અને તેમને વિગતવાર માહિતી આપી. સરકારે પણ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ફઝલે સમર્થકોને કહ્યું- તમે લોકો તાત્કાલિક હોસ્પિટલ પહોંચો અને ઘાયલોને લોહી આપો.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીના કહેવા પ્રમાણે, આ હુમલો દેશને કમજોર કરવાનું વધુ એક ષડયંત્ર છે. આતંકવાદીઓનો સામનો કરવા માટે સરકાર કોઈપણ હદ સુધી જઈ શકે છે.
પાક મીડિયાના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ JUI-F કાર્યકર્તાઓના સંમેલનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટ દુબઈ મોડ પાસે થયો હતો. રેસ્ક્યુ 1122ના પ્રવક્તા બિલાલ ફૈઝીએ જણાવ્યું કે પોલીસ અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. પોલીસની મોટી ટુકડીએ વિસ્તારને ઘેરી લીધો છે.

Previous Post

ભારતીય મહિલા હોકી ટીમેસ્પેનિશ હોકી ફેડરેશન ટૂર્નામેન્ટ જીતી

Next Post

સીમા-સચિન પોતાનું ઘર છોડીને બીજાના ઘરે રહેવા મજબૂર

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાનનો સાઉદી અરેબિયા સ્થિત અમેરિકન સૈન્ય થાણા ઉપર હુમલો

March 28, 2026
ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!
આંતરરાષ્ટ્રીય

ઈરાન, વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો : ટ્રમ્પ

March 28, 2026
Next Post
સીમા-સચિન પોતાનું ઘર છોડીને બીજાના ઘરે રહેવા મજબૂર

સીમા-સચિન પોતાનું ઘર છોડીને બીજાના ઘરે રહેવા મજબૂર

દુનિયાના સૌથી શાંત દેશડેનમાર્કમાં કુરાન સળગાવવામાં આવ્યું

દુનિયાના સૌથી શાંત દેશડેનમાર્કમાં કુરાન સળગાવવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.