મોરબીના ઝુલતા પુલ બ્રીજ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનો સુપ્રિમ કોર્ટ પહોંચ્યા છે. જે અંગે આજે સુનાવણી થનાર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત હાઇકોર્ટે ટિકિટ વેચનાર 2 ક્લાર્કનાં જામીન મંજૂર કર્યા હતા. ગુજરાત સરકારે કોર્ટના આ નિર્ણય ના પડકારતા આખરે પીડિતો સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા મજબૂર બન્યા છે.
મોરબીમાં દીવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા.





