Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવાતા વિવાદઃ તાબડતોબ ભીતચિત્રો ઢાંકી દેવાયા

કીંગ ઓફ સાળંગપુરની પ્રતિમા નીચે બનાવાયેલ ગેલેરીમાં દર્શાવાયેલ ભીતચિત્રોથી સનાતન ધર્મીઓ નારાજ: સાળંગપુરના સ્વામી વિરુદ્ધ કાનુની પગલા ભરવા પોલીસમાં અરજી

aaspassdaily by aaspassdaily
2023-08-30 11:27:43
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

સાળંગપુર હનુમાનજીનું પ્રસિદ્ધ સ્થાનક સમસ્ત સનાતન ધર્મના લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે પરંતુ તાજેતરમાં સાળંગપુરમાં સ્થાપિત કરાયેલ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા નીચે ગેલેરી બનાવાઇ છે જેમાં રામભક્ત હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવતા ચિત્રો મુકાતા ફરી એક વખત સનાતન ધર્મ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે ધાર્મિક માન્યતાને લઇને વિવાદ સળગ્યો છે. છેલ્લા પાંચ-સાત દિવસથી સોશિયલ મીડિયા મારફત અસંખ્ય લોકો દ્વારા નારાજગી પ્રગટ થઇ છે.

આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના બોટાદના અધ્યક્ષ સાળંગપુર હનુમાનજી મંદિરે દોડી ગયા હતા અને મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીને મળી સહજાનંદ સ્વામી સામે હનુમાનજી હાથ જાડી નમસ્કાર મુદ્રામાં જે ભીતચિત્રો કંડારમાં આવ્યા છે તે દુર કરવા રોષપૂર્ણ રજૂઆત કરી હતી. વિહીપ જિલ્લા અધ્યક્ષ સતુભાઇ ધાધલએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ વિવાદિત ભીતચિત્રો દૂર કરવા મંદિરના કોઠારી સ્વામીને જણાવતા તેમણે વડતાલ બોર્ડમાં આ સમગ્ર મુદ્દો રજૂ કરી વહેલીતકે નિર્ણય કરાશે તેવી બાહેધરી આપી છે. દરમિયાનમાં જાણવા મળતી વિગતો મુજબ હાલમાં વિવાદ સર્જતા આ ભિતચિત્રો ઢાંકી દેવામાં આવ્યા છે.
સાળંગપુરથી સળગેલો આ વિવાદ ધીમે ધીમે આગળ ધપી રહ્યો છે અને સિહોરમાં પણ ગઇકાલે સનાતન ધર્મ સેવા સમિતિના સભ્યો દ્વારા સિહોર પોલીસને અરજી આપી સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની નીચે ગેલેરીમાં દર્શાવાયેલ ભિતચિત્રોથી લાગણી દુભાય હોવાનું જણાવી સ્વામીનારાયણ સાધુ સામે વિવિધ કલમો તળે ગુનો નોંધવા માંગ કરી હતી.

Previous Post

રશિયામાં ડ્રોન હુમલા યથાવત, યૂક્રેને પેસ્કોવ એરપોર્ટને બનાવ્યું નિશાન

Next Post

મોદીએ સ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે ઉજવી રક્ષાબંધન

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
મોદીએ સ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે ઉજવી રક્ષાબંધન

મોદીએ સ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે ઉજવી રક્ષાબંધન

સ્પેસ રેસમાં બનવા માંગે છે રશિયા ભારતનું ભાગીદાર

સ્પેસ રેસમાં બનવા માંગે છે રશિયા ભારતનું ભાગીદાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.