દેશના ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ સંબંધીત ઘટનાઓમાં 19 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળ્યા છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં સતત વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે યુપીના બારાબંકીમાં એક જ દિવસમાં 346 મીમી પાણી પડ્યું. જ્યારે લખનૌમાં 109 મીમી વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે મંગળવારે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 સપ્ટેમ્બર સુધી ઉત્તરાખંડ સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદ, આંધી અને વીજળી પડવાની સંભાવના છે.
ઉત્તરાખંડના હલ્દવાની જિલ્લામાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. વિવિધ સ્થળોએ ભૂસ્ખલન અને કાટમાળને કારણે જિલ્લામાં 12 રસ્તાઓ બંધ છે. જો કે ચીન સરહદને જોડતો રસ્તો ખુલ્લો થતાં થોડી રાહત થઈ છે. ધારચુલામાં રોકાયેલા આદિ કૈલાસ યાત્રીઓ પણ ગુંજી જવા રવાના થયા હતા. ટનકપુર-પિથૌરાગઢ હાઈવે પર 24 કલાક બાદ ટ્રાફિક સામાન્ય થઈ ગયો છે.



