બ્રિટનમાં સન્ની દેઓલની ‘ગદર’ ફિલ્મ જેવો એક કિસ્સો બન્યો હતો. જેમાં ખાલિસ્તાની આતંકીઓએ એક શિખ બિઝનેસમેનને ખાલીસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ, મોદી મુર્દાબાદના નારા લગાવવાનું કહ્યું હતું અને ભારતીય તિરંગો સળગાવવાનું કહ્યું હતું. જેનો આ શીખ બિઝનેસમેન પરિવારે ઈન્કાર કરતા ખાલિસ્તાની આતંકીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમની કાર પર ફાયરીંગ કર્યું હતું.
શીખ બિઝનેસમેન હરમનસિંહે કહ્યું હતું કે, ખાલિસ્તાન આંદોલન 40 વર્ષ પહેલા ખતમ થઈ ગયું હતું પણ આ લોકો કેનેડા, બ્રિટનમાં ફરી આ ચળવળ તેજ કરી રહ્યા છેઅને શીખ પર ગુંડાગીરી કરી રહ્યા છે.




