Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત- રાજસ્થાન બોર્ડર પર અકસ્માત: 9નાં મોત

જીપની બ્રેઇક ફેઇલ થતા આગળ જતી ટ્રક સાથે અથડાઈ : જીપમાં 19 લોકો સવાર હતા

aaspassdaily by aaspassdaily
2023-10-16 11:29:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર રતનપુર ચેકપોસ્ટ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જીપની બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતા આગળ જઈ રહેલી ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જીપમાં 19 લોકો બેઠા હતા. જેઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની હતા અને ગુજરાતમાં મજુરી કામ માટે આવી રહ્યા હતા.
ગંભીર ઘાયલોને બીછીવાડાની સરકારી હોસ્પિટલ તથા શામળાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 2ની હાલત અતિ ગંભીર છે, તેઓને હિંમતનગર સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ આસપાસની સ્થાનિક એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી સારવાર માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિક બીછીવાડા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. ઘટના ગુજરાત સરહદથી માત્ર કેટલાક મીટરના અંતરે રાજસ્થાનના વિસ્તારમાં સર્જાઈ હતી. ગુજરાત પોલીસના જવાનો પણ અકસ્માતને લઈ મદદે દોડ્યા હતા અને ઘાયલોને સારવાર માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી.
19 મુસાફરો ભરેલી ક્રૂઝર જીપ રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહી હતી. ગુજરાતની સરહદમાં પ્રવેશે તે પહેલા જ થોડા જ અંતરે જીપની બ્રેઇક ફેઇલ થતા આગળ જતી ટ્રકની પાછળ જીપ ઘૂસી ગઈ હતી. આ ગોજારા અકસ્માતમાં 9 લોકોએ પોતાનું જીવ ગુમાવ્યું હતું. ઉપરાંત અન્ય 10 લોકોને સારવાર અર્થે રાજસ્થાનની બીછીવાડા સરકારી હોસ્પિટલ અને ગુજરાતની શામળાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટાળાં એકઠાં થઈ ગયા હતા અને પોલીસ પણ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.

Previous Post

ઇચ્છાપોર, વડોદરા અને મહેસાણામાં હાર્ટએટેકથી શિક્ષિકા સહિત 3ના મોત

Next Post

સંતરામપુરની જાનવડ હાઈસ્કૂલના આચાર્યએ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
સંતરામપુરની જાનવડ હાઈસ્કૂલના આચાર્યએ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ

સંતરામપુરની જાનવડ હાઈસ્કૂલના આચાર્યએ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ

કપડવંજમાં પકડાયો જુગારનો અડ્ડો

કપડવંજમાં પકડાયો જુગારનો અડ્ડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.