ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વર્ગ એકથી પાંચના કર્મચારીઓ આવનાર દિવસોમાં સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું જાહેર કરાયેલ હોય જે રાજ્ય સરકારે કર્મચારીઓને ચૂકવવાનું હોય છે જે મળેલ નહીં હોવાથી એસટી નિગમના કર્મચારીઓ લડતના મૂડમાં જોવા મળ્યા હતા.
23/10ના રોજ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાયો હતો. 24/10ના રોજ સોશિયલ મીડિયાનો સહારો લઈને સરકારના જન પ્રતિનિધિ અને ઉચ્ચ લેવલે whatsapp, twitter, instagram, facebook જેવા માધ્યમથી દરેક કર્મચારી વિરોધ નોંધાવાના છે. એસટી ડેપો સિવાયના જાહેર સ્થળોએ સૂત્રોચાર કરીને પોતાનો વિરોધ નોંધાવશે. આ સિવાય 28-29 અને 30/ ઓક્ટોબરના રોજ કાળી પટ્ટી અને કાળા વસ્ત્રો પહેરીને સરકાર સામે વિરોધ નોંધાવાની તૈયારીમાં કર્મચારીઓ લાગી ગયા છે. જો આ સમય દરમિયાન સરકારના પેટનું પાણી નહીં હલે તો 2 નવેમ્બરના રોજ રાત્રિના બાર વાગ્યાથી ચક્કાજામ કરવાની તૈયારી ગુજરાત ભરના વર્ગ એક થી પાંચ સુધીના 40,000 હજાર કર્મચારીઓ લડતની મૂડમાં આવી ગયા છે.
કર્મચારીઓના જણાવ્યા અનુસાર, 2011થી ઓનલાઇન ડ્યુટી કરતા કર્મચારીના પરિવારોના સભ્યને રોજગારી આપવાની પણ વાત સરકારે કરી હતી. જે કર્મચારી ચાલુ નોકરી દરમિયાન અકસ્માતે મૃત્યુ પામે છે તેના પરિવારજનોને 8 લાખ રૂપિયાની જાહેરાત સરકાર દ્વારા જે તે સમયે કરવામાં આવી હતી. તેમજ રાજ્ય સરકારના કર્મચારીને 14 લાખની ચુકવણીની જાહેરાત પણ કરવામાં આવી હતી. જે હાલ માત્ર કાગળ ઉપર જ હોય તેવું કર્મચારી બતાવી રહ્યા છે. સાથે સાથે ચાલુ નોકરી દરમિયાન જે કર્મચારીઓના હાથ પગને ઈજાના કારણે હાથ પગ ગુમાવવા પડ્યા છે તેવા કર્મચારીઓને ટેબલ વર્ક આપવાની પણ જાહેરાત સરકારે કરી હતી તેનો અમલ આજ દિન સુધી થયો નથી.
19 જેટલા મુદ્દાઓ લઈને થોડા સમય પહેલા કર્મચારી મંડળ એસટી નિગમ દ્વારા સરકાર સાથેના જનપ્રતિનીધિઓ સાથે બેઠક કરી અને આ 19 જેટલા મુદ્દાઓનું સમાધાન જે તે સમયે કરેલ હતું. પરંતુ થોડા સમય અગાઉ જન પ્રતિનિધિ બદલાતા મુદ્દા જ્યાના ત્યાંજ અટકી ગયા હોય જેથી નિગમના વર્ગ એક થી પાંચના કર્મચારીઓ ફરી પોતાના હક માટે લડવાના મૂડમાં આવ્યા છે.