જમ્મુ અને કાશ્મીર સરકારે આતંકવાદી ગતિવિધિઓ પર કડક કાર્યવાહી કરી છે. ડોક્ટર, શિક્ષક અને કોન્સ્ટેબલ સહિત ચાર લોકો પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. જેના કારણે ચારેયને બરતરફ કરવામાં આવ્યા છે.
માહિતી અનુસાર,ઉચ્ચ શિક્ષણ વિભાગમાં એક ડોક્ટર, એક પોલીસ કોન્સ્ટેબલ, એક શિક્ષક અને પ્રયોગશાળાના પ્રભારી સહિત ચાર સરકારી કર્મચારીઓને આતંકવાદી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણીના કારણે બરતરફ કરવામાં આવ્યા હતા. પોલીસ અને તપાસ એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીર સરકારે ભારતના બંધારણના અનુચ્છેદ 311ની કલમ (2)ની પેટા-કલમ (c)ના સંદર્ભમાં ચાર સરકારી કર્મચારીઓને સેવામાંથી બરતરફ કર્યા છે. ચાર કર્મચારીઓમાં એક ડોક્ટર, એક પોલીસ કોન્સ્ટેબલ, એક શિક્ષક અને ઉચ્ચ શિક્ષણ વિભાગના એક લેબ કર્મચારીનો આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી માટે સમાવેશ થાય છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.