ફોટો જર્નાલિસ્ટ અને પહ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. ઝવેરીલાલ દલપતરામ મહેતા પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ હતા. અને સાહિત્ય અને શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ગુજરાત સહિત દેશભરમાં જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું આજે નિધન થયું છે. તેમની ઉંમર 97 વર્ષની હતી. ઝવેરીલાલ મહેતા હાલમાં તેમના દીકરીના ઘરે રહેતા હતા. તેમનું નિધન તેમની પુત્રી કાનન જોશીના ઘરે વય-સંબંધિત બીમારીને કારણે થયું હતું.