સુરતના જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફાટી નીકળેલી આગમાં સાત મજૂરોના બળ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ ગઈકાલે વધુ એક મજૂર મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું છે .જોકે આ મજૂર આગમાં ભડથું નથી થયો, પરંતુ આગને લીધે થયેલા અકસ્માતમાં તેનું મોત થયું છે. એથર કંપનીની બાજુમાં આવેલી એક બીજી ફેક્ટરીમાં આગને લીધે નુકસાન થયું હતું. આ નુકસાન બાદ મજૂરોને સાફ-સફાઈ નું કામ કરવા જણાવવામાં આવ્યું હતું. સાફ-સફાઈ કરતા એક મજૂરને માથે પતરું પડતા તેનું મોત નીપજ્યું છે. આ રીતે કુલ આઠના મોત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં મંગળવારે રાત્રે એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં સાત મજૂરો ભડથું થઈ ગયા .