મહેસાણાના કડી ખાતે સમસ્ત વૈષ્ણવનો જીવન સાથી પસંસગી મેળો યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણએ કહ્યું હતું કે, હિન્દુઓમાં એકતા ઓછી છે અને જ્ઞાતિવાદ વધુ છે. આપણે હિન્દુઓના નામથી એક થવાની જરૂર છે.
નીતિન પટેલે કહ્યું કે, હિન્દુઓમાં એકતા ઓછી થઈ ગઈ છે. હિન્દુઓમાં જ્ઞાતિવાદ વધુ છે. આપણે હિન્દુઓના નામથી એક થવાની જરૂર છે. તેમણે છોકરીઓની ઓછી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આપણા દરેક સમાજમાં છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ એક ચિંતાનો મોટો વિષય છે.
તો આ કાર્યક્રમમાં નીતિન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશે કહ્યું કે, અમિત શાહ ‘સિંહ’ છે. વૈષ્ણવ સમાજે ભારતને ‘સિંહ’ આપ્યો છે. અને આ ‘સિંહ’ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈનો જમણો હાથ છે. તેમણે વધુમાં કહ્યું કે, અમિત શાહ અમારા પટેલ સમાજના વેવાઈ પણ છે. ઉલ્લેખનીય છે કે મહેસાણાના કડી ખાતે સમસ્ત વૈષ્ણવનો જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરાયું છે. જેમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું હતું.
પ્રેમલગ્ન કરનાર દીકરીઓ પર પાટીદાર અગ્રણીની ચિંતા
દીકરીઓના પ્રેમ લગ્ન મામલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ દીકરીઓને ઘરમાં જ હૂંફ આપવાની અપીલ કરી છે. આર પી પટેલે કહ્યું, ઘરમાં જ દીકરીને સાચવો જેથી ભાગીને લગ્ન ન કરે. પ્રેમ લગ્ન અંગે વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર. પી. પટેલે જાસપુરમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ચિંતા વ્યક્ત કરી છે. પ્રેમ લગ્ન અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે, દીકરીઓને ઘરમાં જ લાગણી અને હૂંફ આપો. ઘરમાં લાગણી અને હૂંફ મળશે તો દીકરી અન્ય સમાજના યુવાનો સાથે ભાગીને પ્રેમ લગ્ન નહીં કરે.