અદાણી-હિંડનબર્ગ કેસ મામલે આજે સુપ્રીમ કોર્ટ મહત્ત્વનો ચુકાદો આપશે. આજનો દિવસ અદાણી ગ્રૂપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. મહત્વનું છે કે અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે નવેમ્બર-2023માં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
24 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી. અને ત્યાર બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સેબીની તપાસ અને નિષ્ણાત સમિતિના સભ્યોની નિષ્પક્ષતા પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને ફગાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એવું કોઈ તથ્ય નથી જેના કારણે સેબી પર શંકા કરી શકાય. કોર્ટે કહ્યું હતું કે અમે નક્કર આધાર વિના સેબી પર અવિશ્વાસ કરી શકીએ નહીં. અગાઉ, સુપ્રીમ કોર્ટે પક્ષકારોના વકીલોને 27 સપ્ટેમ્બર સુધીમાં કોર્ટ સમક્ષ આ કેસમાં લેખિત દલીલો રજૂ કરવા કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એવું કોઈ તથ્ય નથી જેના કારણે સેબી પર શંકા કરી શકાય. કોર્ટે કહ્યું હતું કે અમે નક્કર આધાર વિના સેબી પર અવિશ્વાસ કરી શકીએ નહીં. અગાઉ, સુપ્રીમ કોર્ટે પક્ષકારોના વકીલોને 27 સપ્ટેમ્બર સુધીમાં કોર્ટ સમક્ષ આ કેસમાં લેખિત દલીલો રજૂ કરવા કહ્યું હતું.
વાસ્તવમાં, હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં થયેલા ખુલાસા અંગે અરજદારની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે હિંડનબર્ગ રિપોર્ટને સાચા નિવેદન તરીકે માની શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે વધુમાં જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટની પ્રામાણિકતા ચકાસવા માટે કોઈ સાધન નથી, જેના કારણે તેણે સેબીને આ મામલાની તપાસ કરવા કહ્યું છે, અને સેબીએ તેનો તપાસ અહેવાલ સુપરત કર્યો છે.