આગામી મકરસંક્રાંતિના ઉજવણીના ભાગ રૂપે સતત ૧૨માં વર્ષે જીતુભાઈ વાઘાણી દ્વારા સોમવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર પશ્ચિમની ૨૨ શાળાઓમાં અભ્યાસ કરતાં અગિયાર હજાર (૧૧૦૦૦) બાળકોને ૫૫૦૦૦ પતંગ અને બિસ્કીટનું વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પી.એમ. પોષણ યોજના અંતર્ગત સત્ય સાઈ સેવા અન્નપૂર્ણા ટ્રસ્ટ બેંગ્લોર મારફત મો‹નગ ન્યુટ્રીશનનો પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સત્ય સાઈ સેવા ટ્રસ્ટ દ્વારા વિધાર્થીઓને સાઈસ્યોર માઈક્રો મલ્ટી ન્યુટ્રીશન હેલ્થ મિક્ષ પાઉડર દૂધ સાથે મિક્ષ કરી વિધાર્થીઓને આપવામાં આવશે આ યોજના અંતર્ગત જીતુભાઈ વાઘાણીના હસ્તે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ,
આ કાર્યક્રમમાં ભાવનગર શહેરના મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ તથા ભાવનગર ભાજપના પૂર્વ મહામંત્રી મહેશભાઈ રાવલ, ભાવનગર પÂશ્વમના નગરસેવકો, વોર્ડ પ્રમુખો, મહામંત્રી, શિ.સમિતિના સભ્યો, પ્રમુખ અને હોદેદારો કાર્યક્રમમાં હાજર રહયા હતા