Wednesday, July 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભગવાન રામનું શાસન બંધારણના ઘડવૈયા માટે પ્રેરણાસ્રોત: વડા પ્રધાન મોદી

૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં ‘દેવ સે દેશ’ અને ‘રામ સે રાષ્ટ્ર’ વિશે વાત કરી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-01-29 14:12:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આકાશવાણીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૦૯મા અને આ વર્ષના પહેલા એપિસોડમાં દેશવાસીઓ સાથે વાતચીત કરતા વડા પ્રધાને કહ્યું હતું કે ભગવાન રામનું શાસન દેશના બંધારણના ઘડવૈયાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત હતું. તેમણે કહ્યું કે આ વર્ષે આપણા બંધારણના નિર્માણના ૭૫ વર્ષ છે અને સુપ્રીમ કોર્ટના પણ ૭૫ વર્ષ છે અને લોકશાહીના આ તહેવારો ભારતને લોકશાહીની જનનીના રૂપમાં વધુ મજબૂત બનાવે છે.
તેમણે કહ્યું કે ભારતીય બંધારણની મૂળ નકલના ત્રીજા અધ્યાયમાં ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે ખૂબ જ રસપ્રદ છે કે ત્રીજા અધ્યાયની શરૂઆતમાં બંધારણના નિર્માતાઓએ ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીનાં ચિત્રો મૂક્યાં છે. તેમણે કહ્યું, “પ્રભુ રામનું શાસન આપણા બંધારણના ઘડવૈયાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત હતું અને તેથી જ ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં મેં ‘દેવ સે દેશ’ અને ‘રામ સે રાષ્ટ્ર’ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને એક સૂત્રમાં બાંધી દીધા છે.
દરેકની લાગણી એક, દરેકની ભક્તિ એક, દરેકના હૃદયમાં રામ છે. વડા પ્રધાને કહ્યું હતું કે ૨૨ જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે ‘રામ જ્યોતિ’ પ્રગટાવી અને દિવાળીની ઉજવણી કરી અને આ દરમિયાન દેશે સામૂહિકતાની શક્તિ જોઈ, જે વિકસિત ભારતના સંકલ્પોનો મોટો આધાર છે.
વડા પ્રધાને આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડને ‘ખૂબ જ અદભુત’ ગણાવી હતી અને કહ્યું હતું કે આ વખતે મહિલા શક્તિની સૌથી વધુ ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું, જ્યારે કેન્દ્રીય સુરક્ષા દળો અને દિલ્હી પોલીસની મહિલા ટુકડીએ કર્તવ્ય પથ પર પરેડ કરવાની શરૂઆત કરી ત્યારે દરેક ગર્વ અનુભવતા હતા. મહિલા બેન્ડની કૂચ જોઈને અને તેમનું જબરદસ્ત સંકલન જોઈને દેશ-વિદેશમાં લોકો ઉત્સાહિત થઈ ગયા. અર્જુન એવોર્ડ મેળવનારી ૧૩ મહિલા ખેલાડીઓનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને કહ્યું કે બદલાતા ભારતમાં દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં અજાયબીઓ કરી રહી છે.

Tags: indiamannn ki baatmodiram shasan
Previous Post

આજે જે કાયદા બની રહ્યા છે તે આવતીકાલના ભારતને મજબૂત બનાવશે: મોદી

Next Post

લોસ એન્જલસમાં ગોળીબારમાં ચારનાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

પૃથ્વી તરફ 51 હજાર કિમીની ઝડપે આવી રહ્યો છે એસ્ટેરોઈડ
આંતરરાષ્ટ્રીય

પૃથ્વી તરફ 51 હજાર કિમીની ઝડપે આવી રહ્યો છે એસ્ટેરોઈડ

July 8, 2025
અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત

July 8, 2025
બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા
તાજા સમાચાર

બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા

July 8, 2025
Next Post
લોસ એન્જલસમાં ગોળીબારમાં ચારનાં મોત

લોસ એન્જલસમાં ગોળીબારમાં ચારનાં મોત

પાટનગર ગાંધીનગરને ઝૂંપડામુક્ત બનાવવા દસ સ્થળે સર્વે

પાટનગર ગાંધીનગરને ઝૂંપડામુક્ત બનાવવા દસ સ્થળે સર્વે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.