Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એ.કે.રાકેશ બન્યા ગુજરાતના અધિક ગૃહ સચિવ

ECએ પંકજ જોશી સહિત 6 રાજ્યના ગૃહ સચિવને હટાવ્યા ; વિવેક સહાય પશ્ચિમ બંગાળના નવા DGP

dharmendravaghela by dharmendravaghela
2024-03-19 11:29:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણીપંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે, જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે વિવેક સહાયને પશ્ચિમ બંગાળના નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે. ત્યારે કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશને ગુજરાતના અધિક ગૃહ સચિવનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે સોમવારે ગુજરાતના પંકજ જોશી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહારના એસ સિદ્ધાર્થ, ઝારખંડના અરવા રાજકમલને હટાવી દીધા હતા. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના ગૃહ સચિવને પણ હટાવી દીધા છે. આ તમામ લોકો મુખ્યમંત્રી કાર્યાલયમાં એડિશનલ ચાર્જ સંભાળતા હતા. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સામે નારાજગી વ્યક્ત કરતા પંચે BMC અને વધારાના/ડેપ્યુટી કમિશનરોને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા અને અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવવામાં આવ્યા હતા. રાજીવ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની સોમવારે બપોરે મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાતના અધિક ગૃહ સચિવ પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. તેઓ અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે. નિર્વિવાદિત છબિ ધરાવતા પંકજ જોશી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોશીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

Tags: AK rakeshgujaratnew additional home sectetrary
Previous Post

ત્રાપજ નજીક કાર પલટી ખાઈ જતાં બે વ્યક્તિના મોત – બે વ્યક્તિને ઇજા

Next Post

વિદેશી વિદ્યાર્થી પર હુમલા મામલે હાઈકોર્ટે સુઓમોટો લેવાનો કર્યો ઈનકાર

dharmendravaghela

dharmendravaghela

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

ઇંધણની અછત નિવારવા હવે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા તૈયારી

April 22, 2026
METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા
આંતરરાષ્ટ્રીય

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

April 22, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

April 22, 2026
Next Post
ગુજરાત હાઇકોર્ટમાં તમામ પડતર કેસમાં બીજી મુદતની તારીખ ફરજિયાત

વિદેશી વિદ્યાર્થી પર હુમલા મામલે હાઈકોર્ટે સુઓમોટો લેવાનો કર્યો ઈનકાર

ચૈતર સાથે રોહિંગ્યા ફરતા હોવાના મારી પાસે ફોટા છે : મનસુખ વસાવા

ચૈતર સાથે રોહિંગ્યા ફરતા હોવાના મારી પાસે ફોટા છે : મનસુખ વસાવા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.