પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા. આરતી કરી. દંડવત પ્રણામ કર્યા. પીએમનો રામપથ પર 2 કિલોમીટર લાંબો રોડ કર્યો છે. સીએમ યોગી પણ તેમની સાથે ખુલ્લી જીપમાં હતા. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ મોદીની આ પ્રથમ મુલાકાત છે. ચૂંટણી વચ્ચે અયોધ્યામાં રોડ શો કરનાર મોદી પહેલા પીએમ છે. ભાજપે અયોધ્યાથી લલ્લુ સિંહને ટિકિટ આપી છે. જ્યારે સપાએ અવધેશ પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે.