Tuesday, December 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસ લીગલ વિભાગમાં આખો દિવસ ફરિયાદોનો સિલસિલો

નરેન્દ્ર મોદી ચાલીને મતદાન કરવા ગયા તે રોડ શોને આચાર સંહિતા વિરુદ્ધનો ગણાવી ચૂંટણીપંચને ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2024-05-08 12:31:39
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

7 મેને મંગળવારે મતદાનના દિવસે એલીસબ્રીજ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે આવેલી ગુજરાત કોંગ્રેસની ઓફીસમાંલીગલ વિભાગનો કંટ્રોલ રૂમ તેમ જ સોશિયલ મિડિયા વોરરૂમમાં કામગીરી સવારે 9 વાગતાંની સાથે જ શરૂ થઇ ગયા હતા. તેમાંય બપોર સુધીમાં તો કોંગ્રેસનો મિડિયા રૂમ પણ જોડાયો હતો. કોંગ્રેસના નેતાઓની પણ અવરજવર ચાલુ થઇ ગઇ હતી. ત્રણેય વિભાગોમાં ફોનની ઘંટડીઓ રણકતી હતી. ફોન પૂરા થતાં જ એક પછી એક વિભાગોમાં કામો ચાલુ થઇ ગયા હતા. આમ એકબીજા વિભાગો વચ્ચે સંકલન ચાલી રહ્યું હતું.
કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો એલર્ટ મોડમાં જોવા મળ્યા હતા અને ચૂંટણીપંચને ભાજપ વિરૂદ્ધની 20થી વધુ ફરિયાદો કરી હતી.
ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલીને મતદાન કરવા ગયા તે રોડ શોને આચાર સંહિતા વિરુદ્ધનો ગણાવી ચૂંટણીપંચને ફરિયાદ કરાઈ હતી પણ ચૂંટણીપંચે એવો જવાબ આપ્યો કે, આની આગોતરી મંજૂરી લેવામાં આવી હતી. આ ઉપરાંત ઘાટલોડિયામાં આવેલી નાલંદા સ્કૂલના રૂમ નંબર-2માં વીવીપેટમાં વોટની સ્લીપ દેખાતી નથી ને નીકળતી પણ નથી, તેવું જણાવવામાં આવ્યું હતું. ખેડાના દસક્રોઈના બે બૂથમાં ગેરરીતિની ફરિયાદ કોંગ્રેસે કરી હતી. આ ઉપરાંત અમદાવાદના વેજલપુર, શાહપુર, મણીનગરમાં પણ ગેરરિતીની ફરિયાદ થઈ હતી. જામનગરમાં એલસીબીના પીઆઈ લગરિયા સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસ સમર્થકોની અટકાયત કરે છે, તે પ્રકારની ફરિયાદ કોંગ્રેસે કરી હતી. સાથે એવી પણ ફરિયાદ કરી કે, તમામ પોલિંગ બૂથ પર નિમાયેલા અધિકારીઓ અને એજન્ટોએ વોટિંગ દરમિયાન ભાજપના નિશાનવાળી પેન અને સાહિત્યનો ઉપયોગ કરીને આચાર સંહિતાનો ભંગ કર્યો છે. આ સિવાય પણ કોંગ્રેસે અનેક જગ્યાએ ઘાક-ધમકીની અને ઈવીએમ ખોટવાયાની ફરિયાદ કરી હતી.

Tags: congress camplain ecigujarat
Previous Post

ભાજપની હેટ્રિક સહિત ક્લીનસ્વિપનો પાટીલનો દાવો

Next Post

પતિ અને બે દીકરીઓએ પહેલાં મતદાન કર્યા બાદ અંતિમ સંસ્કારની વિધિ કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

એર ઇન્ડિયાની ફ્લાઇટનું એક એન્જિન બંધ થતા દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ
તાજા સમાચાર

એર ઇન્ડિયાની ફ્લાઇટનું એક એન્જિન બંધ થતા દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ

December 22, 2025
ઉત્તર ભારતમાં હિમવર્ષા ગાઢ ધુમ્મસથી જનજીવન ખોરવાયું
તાજા સમાચાર

ઉત્તર ભારતમાં હિમવર્ષા ગાઢ ધુમ્મસથી જનજીવન ખોરવાયું

December 22, 2025
ઈન્ડોનેશિયામાં માર્ગ અકસ્માતની ઘટનામાં ૧૬ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ઈન્ડોનેશિયામાં માર્ગ અકસ્માતની ઘટનામાં ૧૬ લોકોના મોત

December 22, 2025
Next Post
પતિ અને બે દીકરીઓએ પહેલાં મતદાન કર્યા બાદ અંતિમ સંસ્કારની વિધિ કરી

પતિ અને બે દીકરીઓએ પહેલાં મતદાન કર્યા બાદ અંતિમ સંસ્કારની વિધિ કરી

ચોથા તબક્કાની ચૂંટણી માટે રાજકીય પક્ષો થયા સક્રિય

ચોથા તબક્કાની ચૂંટણી માટે રાજકીય પક્ષો થયા સક્રિય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.