એનડીએની બેઠક દરમિયાન નીતીશ કુમારે કાર્યકારી પીએમ નરેન્દ્ર મોદીને કહ્યું, “ઉતાવળ કરો. સરકાર બનાવવામાં કોઈ વિલંબ ન થવો જોઈએ. આપણે બને તેટલું જલ્દી કરવું જોઈએ.” તેમના નિવેદનથી ભાજપ ખુશ થશે, કારણ કે આ તેમના NDAમાંથી બહાર ન જવાનો મોટો પુરાવો છે. બેઠકમાં એનડીએ સહયોગીઓએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા હતા. NDAના 21 સભ્યોએ સહી કરેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, અમે સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને અમારા નેતા તરીકે ચૂંટ્યા છે.
આ બેઠકમાં નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને જેડીયુના નેતાઓ લલ્લન સિંહ અને સંજય ઝાએ હાજરી આપી હતી. એનડીએની બેઠકમાં બધાની નજર જેડીયુના નીતિશ કુમાર અને ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ પર હતી, જેઓ આ વખતે સરકારની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.