Sunday, August 24, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાષ્ટ્રપતિ ભવનના દરબાર હવે ગણતંત્ર મંડપ અને અને અશોક હોલ અશોક મંડપ કહેવાશે

પ્રિયંકા ગાંધીએ કહ્યું- આ શહેનશાહનો કોન્સેપ્ટ છે

dharmendravaghela by dharmendravaghela
2024-07-26 11:39:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનના બે હોલનાં નામ બદલવાની જાહેરાત કરી હતી. હવેથી દરબાર હોલ ગણતંત્ર મંડપ તરીકે ઓળખાશે અને અશોક હોલ અશોક મંડપ તરીકે ઓળખાશે.
રાષ્ટ્રપતિ ભવનની આસપાસનાં ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને પ્રકૃતિને પ્રતિબિંબિત કરવા માટે બંને હોલનાં નામ બદલવામાં આવ્યાં છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ભવન, જે ભારતીય રાષ્ટ્રપતિનું કાર્યાલય અને નિવાસસ્થાન છે, એ દેશનું પ્રતીક અને લોકોની અમૂલ્ય ધરોહર છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય સંસ્કૃતિની ઝલક બતાવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે.આ અંગે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે આ દેશમાં દરબારનો ખ્યાલ નથી, પરંતુ શહેનશાહનો ખ્યાલ છે.
દરબાર હોલમાં રાષ્ટ્રીય પુરસ્કારોની રજૂઆત જેવાં મહત્ત્વપૂર્ણ કાર્યો અને ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. ભારતીય શાસકો અને અંગ્રેજો દ્વારા આયોજિત અદાલતો અને સભાઓ પછી આ હોલનું નામ ‘દરબાર’ રાખવામાં આવ્યું હતું, પરંતુ 1950માં દેશ પ્રજાસત્તાક બન્યા પછી આ નામ હવે વાજબી રહ્યું નથી, આથી આ હોલનું સાચું નામ ‘ગણતંત્ર ભવન’ છે.
અશોક હોલ પહેલાં બોલરૂમ હતો, જ્યાં અંગ્રેજો બોલ ડાન્સનું આયોજન કરતા હતા. ‘અશોક’ શબ્દનો અર્થ થાય છે ‘જે તમામ દુ:ખોથી મુક્ત છે’ અથવા ‘જેને કોઈ શોક કે દુ:ખ નથી’. એ સમ્રાટ અશોકના નામની પણ યાદ અપાવે છે, જે એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનું પ્રતીક છે. ભારતીય પ્રજાસત્તાકનું રાષ્ટ્રીય પ્રતીક સારનાથનો અશોક સ્તંભ પણ છે. આ શબ્દ અશોક વૃક્ષ સાથે પણ જોડાયેલો છે, જેનું ભારતીય ધાર્મિક પરંપરાઓ તેમજ કલા-સંસ્કૃતિમાં ઊંડું મહત્ત્વ છે. ‘અશોક હોલ’નું નામ બદલીને ‘અશોક મંડપ’ રાખવા પાછળનો હેતુ ભાષામાં એકરૂપતા લાવવા, અંગ્રેજીકરણના નિશાન દૂર કરવા અને ‘અશોક’ શબ્દ સાથે સંકળાયેલાં મૂલ્યોને જાળવી રાખવાનો છે.

Tags: darabar hall new namedelhi
Previous Post

ઓલિમ્પિક ઓપનિંગ સેરેમની: પેરિસની સીન નદીમાં પરેડ

Next Post

લંડનમાં અનંત અને રાધિકા અંબાણીની પોસ્ટ વેડિંગ ઇવેન્ટ્સની તૈયારીઓ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી

August 23, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!

August 23, 2025
ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
તાજા સમાચાર

ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

August 23, 2025
Next Post
લંડનમાં અનંત અને રાધિકા અંબાણીની પોસ્ટ વેડિંગ ઇવેન્ટ્સની તૈયારીઓ

લંડનમાં અનંત અને રાધિકા અંબાણીની પોસ્ટ વેડિંગ ઇવેન્ટ્સની તૈયારીઓ

ભારતીય મતદારોમાં કમલાને ટ્રમ્પ કરતાં 19% વધુ સરસાઈ

ભારતીય મતદારોમાં કમલાને ટ્રમ્પ કરતાં 19% વધુ સરસાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.