Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસ બાંગ્લાદેશના PM બની શકે

જેલમાં બંધ પૂર્વ PM ખાલિદા ઝિયાને મુક્ત કરવાનો આદેશ

dharmendravaghela by dharmendravaghela
2024-08-06 11:21:28
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશમાં બે મહિના સુધી ચાલેલા અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટ, સોમવારે પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી તેઓ દેશ છોડ્યો. તેઓ ઢાકાથી અગરતલા થઈને ભારત પહોંચ્યા છે. તેમનું C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સાંજે 6 વાગ્યે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર પહોંચ્યું હતું. અહીંથી લંડન, ફિનલેન્ડ કે અન્ય દેશોમાં જઈ શકે છે. સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ લગભગ એક કલાકમાં એરબેઝ પર તેમને મળ્યા હતા. હસીના આજે લંડન જઈ શકે છે.
હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશના આર્મી ચીફે કહ્યું, ‘અમે વચગાળાની સરકાર બનાવીશું, અમે હવે દેશનું ધ્યાન રાખીશું. આંદોલનમાં જેમની હત્યા કરવામાં આવી હતી તેઓને ન્યાય આપવામાં આવશે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ જેલમાં બંધ પૂર્વ પીએમ અને વિપક્ષી નેતા ખાલિદા ઝિયાને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેમને 2018માં ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

અર્થશાસ્ત્રી, બેંકર, સામાજિક ઉદ્યોગસાહસિક અને નાગરિક સમાજના નેતા છે મોહમ્મદ યુનુસ

અનામત વિરોધી આંદોલનના સંયોજક નાહિદ ઈસ્લામે મંગળવારે સવારે કહ્યું કે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે. મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન બનશે.
મોહમ્મદ યુનુસનો જન્મ 28 જૂન 1940ના રોજ થયો હતો. તેઓ બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી, બેંકર, સામાજિક ઉદ્યોગસાહસિક અને નાગરિક સમાજના નેતા છે. વર્ષ 2006માં તેમણે ગ્રામીણ વિકાસ બેંકની સ્થાપના કરી. આ માટે તેમને 2006માં જ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નોબેલ સિવાય યુનુસને બીજા ઘણા એવોર્ડ મળ્યા છે. તેમને 2009માં પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ અને 2010માં કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. મોહમ્મદ યુનુસ 2012માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના ચાન્સેલર પણ રહી ચૂક્યા છે. તેઓ 2018 સુધી આ પદ પર રહ્યા. આ સિવાય તેમણે 1998 થી 2021 સુધી યુનાઈટેડ નેશન્સ ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે પણ સેવા આપી છે.

Tags: Bangladeshmuhamad yunus
Previous Post

કેન્દ્રીય બજેટ અંગે ભાવનગર શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી

Next Post

કરોડથી વધુ હિન્દુઓ પશ્ચિમ બંગાળમાં આવી રહ્યા છે – સુવેન્દુ અધિકારી

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
કરોડથી વધુ હિન્દુઓ પશ્ચિમ બંગાળમાં આવી રહ્યા છે – સુવેન્દુ અધિકારી

કરોડથી વધુ હિન્દુઓ પશ્ચિમ બંગાળમાં આવી રહ્યા છે - સુવેન્દુ અધિકારી

બાંગ્લાદેશમાં આતંકવાદી સંગઠનના સભ્યો જેલમાંથી ભાગી ગયા

બાંગ્લાદેશમાં આતંકવાદી સંગઠનના સભ્યો જેલમાંથી ભાગી ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.