ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલામાં અમેરિકાની એક કોર્ટે ભારત સરકારને સમન્સ પાઠવ્યું છે. ભારતના NSA અજિત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાનાં નામ પણ આ સમન્સમાં સામેલ છે.
અમેરિકન કોર્ટે આ સમન્સનો 21 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. પન્નુએ તેની હત્યાના ષડયંત્રને લઈને અમેરિકાની જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ગયા વર્ષે અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે પન્નુ પર ન્યૂયોર્કમાં ઘાતક હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આમાં ભારતનો હાથ હતો. આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું.
સમન્સના જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ સમન્સ સંપૂર્ણપણે ખોટું છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે જ્યારે આ મામલો અમારા ધ્યાન પર આવ્યો તો અમે કાર્યવાહી કરી. આ મામલે ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરવામાં આવી છે.
26 જૂને અમેરિકાએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ હત્યાના પ્રયાસના મામલામાં ભારત પાસેથી જવાબદારી માગી હતી. યુએસ સરકારના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ કર્ટ કેમ્પબેલે કહ્યું હતું કે અમે આ મુદ્દો સીધો ભારત સરકાર સાથે ઉઠાવ્યો છે. તપાસ કમિટી પાસે રિપોર્ટ પણ માગવામાં આવ્યો હતો.