બુલડોઝરની કાર્યવાહીના મામલામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સુનવણી દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ વિશ્વનાથનની બેંચે કહ્યું કે જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ ચાલુ રહેશે.બેન્ચે એ પણ નિર્દેશ આપ્યો છે કે જેઓ કોર્ટના આદેશનો અનાદર કરશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પીડિતોની સંપત્તિ પરત કરવામાં આવશે, જેનું વળતર પણ દોષિત અધિકારીઓ પાસેથી વસૂલવામાં આવશે.
સુનવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. એમ પણ કહ્યું કે ચોક્કસ સમુદાય પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા છે. તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. અમે જે પણ નક્કી કરી રહ્યા છીએ તે સમગ્ર દેશ માટે હશે. મંદિર હોય કે દરગાહ, તેને હટાવવાનું યોગ્ય રહેશે કારણ કે જાહેર સુરક્ષા સૌથી પહેલા આવે છે.