Sunday, August 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયાએ એક જ દિવસમાં યુક્રેનના 550 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

રશિયાએ સ્પષ્ટ કહ્યું હતું કે કિરિલોવની હત્યાનો બદલો લેવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2024-12-19 11:35:39
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પુતિનના વિશ્વસનીય જનરલમાંથી એક ઇગોર કિરિલોવની હત્યાએ રશિયાને હચમચાવી નાખ્યું છે. કિરિલોવની હત્યાથી ભૂંરાટા થયેલા રશિયાએ એક જ દિવસમાં યુક્રેનના લગભગ 550 સૈનિકોનો કચ્ચરઘાણ કાઢ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં રશિયાએ યુક્રેનના લગભગ 550 સૈનિકોને મારી નાખ્યા છે. કેટલીય અમેરિકન-પોલિશ બખ્તરબંધ ગાડીઓ નષ્ટ કરી છે.
રશિયાની જેપડ (પશ્ચિમ) અને ત્સેન્દ્ર (કેન્દ્ર) સેનાએ યુક્રેનના 11 જવાબી હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. જેપડ ગ્રૂપ યુક્રેનના 440 સૈનિકોને ઠાર કર્યા હતા. જ્યારે યુગે (દક્ષિણ) ગુ્રપે ૩૫૦ સૈનિકોને માર્યા. આ ઉપરાંત ડોનેત્સ્ક ક્ષેત્રમાં ટ્રુડોવ અને સ્ટાર ટેની વિસ્તારોમાં રશિયાના લશ્કરનું નિયંત્રણ થઈ ગયું છે. મંગળવારે મોસ્કોમાં કિરિલોવને એપાર્ટમેન્ટની બહાર ઉભા એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં છૂપાયેલા બોમ્બથી ઠાર કરાયા હતા.
રશિયાની એજન્સીઓનું કહેવું છે કે આ હુમલો યુક્રેનની જાસૂસી સંસ્થાઓએ કરાવ્યો હતો. શંકાસ્પદ હુમલાખોર અને ઉઝબેકિસ્તાનના વતનીએ યુક્રેનની એજન્સીઓએ આ કામ માટે એક લાખ ડોલર અને યુરોપમાં સુરક્ષિત વસવાટનું વચન આપ્યું હતું. હુમલાખોરને મોસ્કોના એક ગામડામાંથી પકડવામાં આવ્યો હતો. કિરિલોવની હત્યા પછી રશિયામાં હડકંપ મચી ગયો છે. રશિયા આ હુમલાને પોતાની પ્રતિષ્ઠા પર હુમલો માની એક મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. રશિયાએ સ્પષ્ટ કરી દીધું હતું કે, કિરિલોવની હત્યાનો બદલો લેવામાં આવશે. યુક્રેનની જાસૂસી સંસ્થાઓની આ કાર્યવાહી રશિયા-યુક્રેન યુદ્ધને નવો વળાંક આપી શકે છે.

Tags: russia killed 550 ukraine's soldiers
Previous Post

26 જાન્યુઆરીએ CM યોગી આદિત્યનાથને ગોળીથી ઉડાવી દઇશ

Next Post

ભાવનગર અમદાવાદ શોર્ટરૂટ પર અધેલાઈ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
ભાવનગર અમદાવાદ શોર્ટરૂટ પર અધેલાઈ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત

ભાવનગર અમદાવાદ શોર્ટરૂટ પર અધેલાઈ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત

ભાવનગર રેન્જ IGP ગૌતમ પરમારે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું

ભાવનગર રેન્જ IGP ગૌતમ પરમારે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.