Thursday, March 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મનમોહન સિંહનું નિધન : 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

92 વર્ષની વયે નિધન થયું; રાહુલે કહ્યું- મેં મારા ગુરુ ગુમાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-12-27 16:16:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના બુલેટિન અનુસાર, તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.
મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા. તેમણે મે 2014 સુધી આ પદ પર બે કાર્યકાળ પૂર્ણ કર્યા હતા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા. મનમોહન સિંહના નિધનને કારણે કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. તેમજ શુક્રવારના નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે મોડી રાત્રે બેલાગવીથી દિલ્હી પહોંચ્યા બાદ સીધા મનમોહન સિંહના ઘરે ગયા હતા. રાહુલે X પર લખ્યું- મેં મારા માર્ગદર્શક અને ગુરુ ગુમાવ્યા છે.
મનમોહન સિંહ 3 એપ્રિલે રાજ્યસભામાંથી નિવૃત્ત થયા હતા. તેઓ 1991માં પહેલીવાર આસામથી રાજ્યસભા પહોંચ્યા હતા. ત્યારથી તેઓ લગભગ 33 વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા. છઠ્ઠી અને છેલ્લી વખત તેઓ 2019માં રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બન્યા. ભારતીય ટીમે દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર પણ શોક વ્યક્ત કર્યો છે. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સાથે ટેસ્ટ રમી રહેલી ભારતીય ટીમ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી હતી.

Tags: ex PM manmohan singh passed awayindia
Previous Post

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગર ખાતે લોકપ્રશ્નો સાંભળ્યા

Next Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
તાજા સમાચાર

ગુજરાતમાં ધૂળેટી પર્વમાં ડૂબી જવાની ઘટનામાં ૨૪ લોકોના મોત

March 5, 2026
આંતરરાષ્ટ્રીય

કુવૈતના દરિયાઇ ક્ષેત્રમાં પેટ્રોલિયમ વહન કરતા જહાજમાં પ્રચંડ વિસ્ફોટ

March 5, 2026
અમેરિકા વેનેઝુએલા સાથે યુદ્ધ નહીં કરે,અર્થ વ્યવસ્થા સુધરવાનો ટ્રમ્પે આપ્યો સંકેત
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનેટે ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ નકાર્યો : ટ્રમ્પને મોકળું મેદાન

March 5, 2026
Next Post
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

યમન જઈ રહેલું જહાજ સમુદ્રમાં ડૂબ્યું : કોસ્ટગાર્ડ દ્વારા 9 ક્રુ સભ્યોનો બચાવ

યમન જઈ રહેલું જહાજ સમુદ્રમાં ડૂબ્યું : કોસ્ટગાર્ડ દ્વારા 9 ક્રુ સભ્યોનો બચાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.