Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોમનાથમાં તોડી પાડવામાં આવેલી દરગાહ પર નહીં થાય ઉર્સની ઉજવણી

1થી 3 ફેબ્રુઆરી દરમિયાન 'ઉર્સ'નું આયોજન કરવાની પરવાનગી માગવામાં આવી હતી

dharmendravaghela by dharmendravaghela
2025-02-01 11:32:48
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. એક અરજીમાં ગીર સોમનાથ જિલ્લામાં તોડી પાડવામાં આવેલી દરગાહ ખાતે 1થી 3 ફેબ્રુઆરી દરમિયાન ‘ઉર્સ’નું આયોજન કરવાની પરવાનગી માગવામાં આવી હતી. જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆતોની નોંધ લીધી કે સરકારી જમીન પર મંદિરો સહિત તમામ અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યાં છે. આ ઘણા દાયકાઓ પછી બનશે, જ્યારે સોમનાથ નજીક યોજાતો ઉર્સ યોજાશે નહીં.
મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું હતું કે ઉર્સ વર્ષોથી થઈ રહ્યો છે, પરંતુ વહીવટીતંત્રે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. વકીલે કહ્યું હતું કે ત્યાં દલીલ એવી હતી કે ત્યાં કોઈ દરગાહ નહોતી. ઉર્સ માટે પરવાનગી માગનારા પક્ષ તરફથી હાજર રહેલા વકીલે જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચને જણાવ્યું હતું કે રેકોર્ડ દર્શાવે છે કે 1960 સુધી અમુક શરતો સાથે પરવાનગી આપવામાં આવતી હતી અને દર વર્ષે ત્રણ દિવસનો ઉત્સવ યોજાતો હતો. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ પક્ષનો દાવો છે કે આ દરગાહ 1299થી અસ્તિત્વમાં છે. એ એક સંરક્ષિત સ્મારક છે, પરંતુ હવે એને તોડી પાડવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ જમીન 1951માં સરદાર પટેલ ટ્રસ્ટને સોંપવામાં આવી હતી. એ વિસ્તારમાં બધા ધર્મોનાં બધાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં છે. એમાં એક મંદિર પણ છે. મુખ્ય કેસ હાલમાં હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. ASએ એમ પણ કહ્યું હતું કે અહીં કોઈ સુરક્ષિત માળખું નથી. ત્યાર બાદ કોર્ટે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી રજા અરજી ફગાવી દીધી. અગાઉ 27 જાન્યુઆરીના રોજ, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે તે ત્રણ અઠવાડિયાં પછી વિવિધ અરજીઓ પર સુનાવણી કરશે, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં રહેણાક અને ધાર્મિક બાંધકામોને પૂર્વ પરવાનગી વિના તોડી પાડવા બદલ ગુજરાત સત્તાવાળાઓ સામે તિરસ્કારની અરજીનો સમાવેશ થાય છે.

Tags: dargah demolitionno urshsomnath
Previous Post

ફિલાડેલ્ફિયામાં પ્લેન ક્રેશ : 6 લોકોના મોતની આશંકા

Next Post

વલસાડથી મળી મહારાષ્ટ્રના શિવસેનાના નેતાની લાશ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
વલસાડથી મળી મહારાષ્ટ્રના શિવસેનાના નેતાની લાશ

વલસાડથી મળી મહારાષ્ટ્રના શિવસેનાના નેતાની લાશ

સુરતમાં વૃદ્ધ દંપતિ બેભાન થયા બાદ પતિનું મોત : ફૂડ પોઈઝનિંગની આશંકા

સુરતમાં વૃદ્ધ દંપતિ બેભાન થયા બાદ પતિનું મોત : ફૂડ પોઈઝનિંગની આશંકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.