યુક્રેન અને રશિયાવચ્ચેના યુદ્ધને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. યુદ્ધના આ તબક્કે, એક તરફ રશિયાએ રવિવારે 13 યુક્રેનિયન શહેરો પર ડ્રોન હુમલા કર્યા હતા. એક જ હુમલામાં 276 ડ્રોન અને 3 મિસાઇલ છોડવામાં આવી હતી. બીજી તરફ, વ્લાદિમીર પુતિને ઝેલેન્સકી પર રાજદ્વારી દબાણ લાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે યુક્રેન સંકટ પર ટ્રમ્પ સાથે અનેક રાઉન્ડની વાતચીત પણ કરી છે. આશ્ચર્યજનક છે કે યુક્રેન અને નાટો બંનેને આ સંવાદમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.
ટ્રમ્પ અને પુતિનના યુક્રેન પરના સતત ઘેરાબંધીથી દુઃખી, રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આત્મસમર્પણ કર્યું હોવાનું સામે આવ્યું છે! તેમણે કહ્યું કે તેઓ એક શરત સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ પદ છોડવા તૈયાર છે. ઝેલેન્સકીએ રવિવારે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો તેમનો દેશ નાટોનું સભ્યપદ મેળવી શકે તો તેઓ “તાત્કાલિક” રાષ્ટ્રપતિ પદ છોડી દેવા તૈયાર છે . “જો યુક્રેનમાં શાંતિ આવે અને જો તમને ખરેખર મને પદ છોડવાની જરૂર હોય, તો હું તે માટે તૈયાર છું. નાટો સભ્યપદના બદલામાં હું તે સ્વીકારીશ,” ઝેલેન્સકીએ કિવમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે જો જરૂર પડે તો તેઓ “તાત્કાલિક” પદ છોડવા માટે તૈયાર છે.
આ નિવેદન યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં આવ્યું છે, જ્યાં યુક્રેન સતત નાટો સભ્યપદ માટે પ્રયત્નશીલ છે. ઝેલેન્સકીનું આ નિવેદન નાટો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને યુક્રેનની સુરક્ષા પ્રત્યેની તેમની ગંભીરતાને દર્શાવે છે.