Wednesday, August 20, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં નવા ચહેરાને સ્થાન મળે તેવી સંભાવના

2027માં ભાજપને પછાડવા રાહુલ ગાંધી તૈયાર : ગ્રુપિઝમની વાત આવતા મિટિંગ આટોપી લીધી

dharmendravaghela by dharmendravaghela
2025-03-08 11:46:09
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા ગુજરાતમાં કોંગ્રેસની હાર પાછળના કારણો તથા પરિબળો જાણવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 7 માર્ચને શુક્રવારે દિવસ દરમિયાન પ્રદેશ નેતાગીરીથી માંડીને કોંગ્રેસ કાર્યાલયના સ્ટાફ સાથે રાહુલ ગાંધીએ મિટિંગ કરીને તેમના મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તાલુકા તથા નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખો સાથેની મિટિંગ સૌથી હોટ ફેવરીટની સાથે મેરેથોન મિટિંગ બની રહી હતી. ગુજરાતના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર થવાની સાથોસાથ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.
આ મિટિંગમાં તાલુકા-નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખોએ રાહુલ ગાંધી સામે પોતાનો બળાપો કાઢયો હતો. એક સમયે સૌએ પ્રિયંકાજીને મોકલવાની પણ માંગ કરી હતી. ત્યારે રાહુલજીએ હું પ્રિયંકાજીને વાત કરવાની બાહેંધરી આપી હતી. જેના કારણે હવે રાહુલજીના વિદાય બાદ પ્રિયંકાજી આગામી દિવસોમાં ગુજરાતમાં પધારે તેવી શક્યતા છે. એટલું જ નહીં, પરંતુ રાહુલ તેમ જ પ્રિયંકાજીની આવન-જાવન વધી જાય તેવી શક્યતા દેખાઇ રહી છે.
આજરોજસમગ્ર રાજ્યના 2 હજાર કોંગ્રેસનાં કાર્યકરો માટે સંવાદ કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્ય સરકારની નિષ્ફળતાઓ લઈને રાહુલ ગાંધી કાર્યકર્તાઓને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરનાં કોંગ્રેસનાં હોદ્દેદારોની પણ હાજરી રહેશે. ઉપરાંત, સેલ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખો પણ સંવાદમાં હાજરી આપશે. બપોર બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા માટે રવાના થશે.

છ કલાક સુધી 150થી વધુ લોકોને સાંભળ્યા
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી શુક્રવારે સવારે 10-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને 11 વાગ્યાની આસપાસ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ સવારે 11-30 વાગ્યાની આસપાસ મિટિંગોનો દોર શરૂ થયો હતો. આખાય દિવસ દરમિયાન લગભગ સાડા પાંચ કલાકથી છ કલાક સુધી 150થી વધુ લોકોને સાંભળ્યા હતા. પ્રથમ સેશનના પ્રારંભમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ પ્રમુખો, પોલિટિકલ અફેર્સ કમિટી, જિલ્લા- શહેર કોંગ્રેસના પ્રમુખોને સાંભળ્યા હતા. બીજા સેશનમાં વિવિધ સેલના આગેવાનો બાદ પૂર્વ તથા ચાલુ ધારાસભ્યો અને તાલુકા તથા નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખો તેમજ સ્ટાફના માણસોને સાંભળ્યા હતા. જેમાં પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ પ્રમુખોની મિટિંગમાં રાહુલ ગાંધીએ કયા પ્રમુખના સમયમાં કોંગ્રેસનો બરોબર ચાલતી હતી તે અંગે પ્રશ્નો કર્યા હતા. ત્યારે બધાં મૌન સેવી લીધું હતું. ફરીવાર તેમને પ્રશ્ન દોહરાવતાં કોઇએ એવું કહ્યું કે, બી.કે. ગઢવી તથા સી.ડી. પટેલ પ્રદેશ પ્રમુખ હતા, ત્યારે યોગ્ય રીતે ચાલતી હતી.

Tags: Congressgujaratrahul gandhi visit
Previous Post

ગરીબોના ઘરનો ચૂલો ન સળગે એ વાત નવા ભારતમાં સ્વીકાર્ય નથી : વડાપ્રધાન

Next Post

નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ કલાકાર મનોજ દ્વારા બનાવેલ રામ મંદિરના ચિત્ર પર સહી કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા

August 19, 2025
પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર
તાજા સમાચાર

પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર

August 19, 2025
સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ
તાજા સમાચાર

સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ

August 19, 2025
Next Post
નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ કલાકાર મનોજ દ્વારા બનાવેલ રામ મંદિરના ચિત્ર પર સહી કરી

નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ કલાકાર મનોજ દ્વારા બનાવેલ રામ મંદિરના ચિત્ર પર સહી કરી

ધારાવી પ્રોજેક્ટ પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટેનો ઇનકાર

ધારાવી પ્રોજેક્ટ પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટેનો ઇનકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.