ગુજરાતના આંગણે 64 વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. મંગળવારે સરદાર સ્મારકમાં CWCની બેઠક અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાયા બાદ આજે સાબરમતીના તટે દેશભરના કોંગ્રેસીઓ પાર્ટીના એજન્ડા પર ચર્ચા કરશે. રાષ્ટ્રીય અધિવેશનમાં એક બાદ એક ઠરાવ પર ચર્ચા કરાશે. રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ત્યારે આજના અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનો નિર્ણય થઈ શકે છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસના નેતા જયરામ રમેશ, પ્રભારી મુકુલ વાસનિક સહિતના નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના કુલ 140થી વધારે લોકો સ્ટેજ ઉપર બેસશે.