Tuesday, January 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તેલંગાણામાં સૂર્યપેટની કોર્ટે મહિલાને સંભળાવી ફાંસીની સજા

અંધશ્રદ્ધામાં 7 મહિનાની પુત્રીની ચઢાવી હતી બલી

dharmendravaghela by dharmendravaghela
2025-04-14 11:46:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તેલંગાણામાં સૂર્યપેટની એક સ્થાનિક કોર્ટે એક માતાને પોતાની જ પુત્રીની હત્યા કરવા બદલ ફાંસીની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2021માં મહિલાએ આ હત્યાને અંજામ આપ્યો હતો અને બલિ આપવાના નામે પોતાની જ પુત્રીનો ભોગ લઇ લીધો હતો. મહિલાને એવો ભ્રમ હતો કે તેના પર કાળ સર્પ દોષ છે જેને દૂર કરવા માટે પુત્રીની બલિ આપી દીધી. જોકે કોર્ટે આ મહિલાને દોષિત ઠેરવીને ફાંસીની સજા ફટકારી છે. એક જ્યોતિષના કહેવાથી મહિલાએ માની લીધુ હતું કે તેને કાળ સર્પ દોષ છે.
તામિલનાડુની સૂર્યપેટ વિસ્તારની આ મહિલાને કોઇએ એવા વહેમમાં નાખી દીધી હતી કે તેના પર કાળ સર્પ દોષ છે જેને કારણે તેનું જીવન અસ્ત વ્યસ્ત છે. બાદમાં મહિલાએ કાળ સર્પ દોષને દૂર કરવા માટે સોશિયલ મીડિયા યુટયુબ પર વીડિયો જોયા હતા. એટલુ જ નહીં તાંત્રીક સાથે પણ વાત કરી હતી. મહિલાએ પોતાના પરના વહેમવાળા દોષોને દૂર કરવા માટે પોતાની જ પુત્રીનો બલિ ચડાવી દીધો હતો. પુત્રીની હત્યા બાદ પોલીસે બી. ભારતી ઉર્ફ લાસયા નામની આ મહિલાની ધરપકડ કરી લીધી હતી. આ મહિલાએ બે વર્ષ પહેલા પોતાના પતિની પણ પથ્થર મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલામાં પણ મહિલાને સજા થઇ ચુકી હતી.
પુત્રીની હત્યાના કેસમાં સૂર્યપેટની એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશંસ કોર્ટે મહિલાને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે આ મામલાને રેરેસ્ટ ઓફ ધી રેર કેસ માન્યો હતો તેથી મહિલાને ફાંસીની સજા આપવામાં આવી છે. ૧૫ એપ્રીલ, ૨૦૨૧ના રોજ આરોપી મહિલા ભારતીએ સૂર્યપેટ જિલ્લાના મોથે મંડલના મેકલપતિ થંડામાં પોતાના ઘરના બેડરૂમમાં વિશેષ પૂજા કરી હતી, પૂજા કરતી વખતે પોતાના પર અને પુત્રી પર સિંદૂર તેમજ હળદર લગાવી હતી. જમીન પર કઇક ચિત્ર બનાવીને તેની કલાકો સુધી પૂજા કરી હતી. આ દરમિયાન પોતાની પુુત્રીનું ધારદાર હથિયારથી ગળુ કાપીને હત્યા કરી નાખી હતી. એટલુ જ નહીં પુત્રીની જીભ પણ કાપી નાખી હતી.
આ સમગ્ર મામલે પતિ બી કૃષ્ણાએ પોલીસ સમક્ષ ફરિયાદ કરીને આ ઘટનાક્રમ વર્ણવ્યો હતો. પુત્રીની બલિ આપ્યા બાદ મહિલા લોહીલુહાણ કપડામાં જ ઘરની બહાર નીકળી હતી. બાદમાં ઘરની આસપાસના લોકોને કહ્યું હતું કે મે મારી પુત્રીનું દેવતાઓને બલિદાન કરી દીધુ છે અને સર્પ દોષથી છૂટકારો મેળવી લીધો છે. આ સમગ્ર મામલામાં આસપાસના ૧૦ સાક્ષીઓ, પતિની ફરિયાદ, ઘટના સમયે ઘરમાં પથારીવશ સસરાનું નિવેદન વગેરેને ધ્યાનમાં લઇને સજા આપવામાં આવી છે. મહિલાએ કૃષ્ણા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પોલીસ ફરિયાદ મુજબ કૃષ્ણાએ કહ્યું હતું કે મારી પત્ની માનસિક રીતે બીમાર રહેતી હતી, તેને કોઇ જ્યોતિષે કહી દીધુ હતું કે તેને સર્પ દોષ છે. તે બાદથી પોતાના સ્માર્ટફોનમાં સતત તેના વીડિયો જોયા કરતી હતી. જેની અસર તેના મનમાં ઘર કરી ગઇ અને તેમાં પુત્રીનો જીવ લઇ લીધો. હાલ ફાંસીની સજા પામેલી આ મહિલા હૈદરાબાદની જેલમાં કેદ છે.

Tags: suryapettelanganawomen fasi
Previous Post

5 વર્ષની બાળકી પર બળાત્કારની કોશિશ પછી હત્યા

Next Post

ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કાયમી નથી : યુએસ વાણિજ્ય મંત્રી

dharmendravaghela

dharmendravaghela

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો
તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

January 13, 2026
Next Post
ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કાયમી નથી : યુએસ વાણિજ્ય મંત્રી

ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કાયમી નથી : યુએસ વાણિજ્ય મંત્રી

છોટાઉદેપુરમાં પુત્રએ પિતાની કરી નિર્મમ હત્યા

છોટાઉદેપુરમાં પુત્રએ પિતાની કરી નિર્મમ હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.