ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં મોટો ઘટાડો કરવાનું વિચારી રહી છે. રિઝર્વ બેંક ની ત્રણ નાણાકીય નીતિ સમિતિ (MPC) બેઠકો આવતા મહિનાથી દિવાળી સુધી યોજાવાની છે. ત્રણેય મીટિંગ દરમિયાન રેપો રેટ ઘટાડી શકાય છે. કેટલાક અહેવાલો દાવો કરે છે કે આ ઘટાડો 0.50 થી 0.75 ટકા સુધીનો હોઈ શકે છે. જો રેપો રેટમાં આટલો ઘટાડો થાય તો સામાન્ય માણસને મોટી રાહત મળશે.અહેવાલો અનુસાર, RBIની નાણાકીય નીતિ સમિતિની આગામી બેઠક 4-6 જૂન દરમિયાન યોજાવાની છે. આ બેઠકમાં સામાન્ય માણસને રાહત આપવા માટે મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે અને રેપો રેટમાં લગભગ 0.25%નો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ 5 થી 7 ઓગસ્ટ અથવા 29 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર દરમિયાન યોજાનારી બેઠકમાં 0.25 ટકાથી 0.50 ટકાનો ઘટાડો થવાની ધારણા છે.આવી સ્થિતિમાં, દિવાળી પહેલા સામાન્ય માણસને મોટી રાહત મળશે અને RBI રેપો રેટમાં 0.75 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. હાલમાં રેપો રેટ 6% છે, જે દિવાળી સુધીમાં ઘટીને 5.25% થવાની ધારણા છે. તે જ સમયે, નોમુરાને આશા છે કે રેપો રેટમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. આ ઘટાડો વર્ષ 2025 ના અંત સુધીમાં 1% અથવા 100 બેસિસ પોઈન્ટનો હોઈ શકે છે, ત્યારબાદ રેપો રેટ ઘટીને 5% થઈ જશે.