Wednesday, January 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દીવ-જરગલીના 5 મૃતદેહ વતન પહોંચ્યા

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નીલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ; પરિવારજનોનું હૈયાફાટ રુદન

dharmendravaghela by dharmendravaghela
2025-06-17 12:09:11
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી દિવના ચાર અને ગીર ગઢડા તાલુકાના જરગલી ગામના એક વ્યક્તિ મળી કુલ પાંચ મૃતદેહ તેમના વતન પહોંચ્યા છે. આ તમામ મૃતદેહોને DNA પરીક્ષણ બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. તમામ મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપતા પહેલા DNA પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે મેચ થયા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
મૃતકોમાં દિવના ચાર લોકો અને જરગલી ગામના નીલ નામના વ્યક્તિનો સમાવેશ થાય છે. આ તમામ મૃતદેહો મોડી રાત્રે અમદાવાદથી રવાના થયા હતા. સૌપ્રથમ તેઓ ઉના ખાતે પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમને તેમના વતન તરફ મોકલવામાં આવ્યા હતા.
અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગીરગઢડા તાલુકાના જરગલી ગામના યુવાન નીલનો પાર્થિવ દેહ આજે સવારે તેના વતનમાં પહોંચ્યો હતો. લંડનમાં અભ્યાસ માટે જતા નીલના અકાળ અવસાનથી સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
નીલનો પાર્થિવ દેહ ઘરે પહોંચતાં જ તેની માતા અને બહેનના હૈયાફાટ રુદનથી ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. શ્રદ્ધાંજલિ આપવા માટે સાંસદ રાજેશ ચુડાસમા, ઊનાના ધારાસભ્ય કે.સી. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પરમાર, ડાયાભાઈ ઝાલોધરા અને ધર્મેશ રાખોલીયા પણ હાજર રહ્યા હતા.ગીરગઢડા મામલતદાર અને પી.આઈ. ચૌહાણ સહિત અનેક અધિકારીઓએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો પણ નીલના ઘરે એકત્રિત થયા હતા. દરેકના ચહેરા પર શોક અને આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.

Tags: dead body reachdiu jargaliplane crash
Previous Post

અમદાવાદ પ્લેન ક્રેશ: 83 મૃતદેહો સુપરત

Next Post

ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી: ગઢડામાં 14, બોટાદમાં 11 ઈંચ વરસાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો
તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

January 13, 2026
Next Post
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી: ગઢડામાં 14, બોટાદમાં 11 ઈંચ વરસાદ

ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી: ગઢડામાં 14, બોટાદમાં 11 ઈંચ વરસાદ

ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?

ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.