Tuesday, April 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કટોકટી વિરૂદ્ધ લડાઈમાં અડગ રહેનારાઓને સલામ; મોદી

કટોકટીના 50 વર્ષ પૂરા થતા વડાપ્રધાન મોદીએ આજે X પર પોસ્ટ કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

dharmendravaghela by dharmendravaghela
2025-06-25 13:30:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં આજથી 50 વર્ષ પહેલાં કટોકટી લાદવામાં આવી હતી. કેન્દ્ર સરકાર આજે 25 જૂન, 2025ના રોજ નવી દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે દેશની સ્વતંત્રતા બાદના ઈતિહાસના સૌથી કાળા પ્રકરણો પૈકી એક કટોકટીને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવશે. ગતવર્ષે 2024માં કેન્દ્ર સરકારે 25 જૂન, 1975માં લાદવામાં આવેલી કટોકટીના દિવસને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. આ દિવસને યાદ કરતાં વડાપ્રધાન મોદીએ આજે X પર પોસ્ટ કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે X પર પોસ્ટ કરી હતી કે, આજે ભારતના લોકતંત્રના ઈતિહાસમાં સૌથી કાળા અધ્યાયો પૈકી એક કટોકટીને 50 વર્ષ પૂરા થયા છે. દેશના લોકો આ દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે માને છે. આ દિવસે ભારતના બંધારણના મૂલ્યોની અવગણના કરવામાં આવી હતી. મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરી પ્રેસની સ્વતંત્રતા ખતમ કરવામાં આવી હતી. અનેક રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ, અને સામાન્ય નાગરિકોને જેલ ભેગા કર્યા હતા. તે સમયે શાસન કરી રહેલી કોંગ્રેસ સરકારે લોકતંત્રને બંધક બનાવ્યું હતું.વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે કટોકટી વિરૂદ્ધ લડાઈમાં અડગ રહેનારા દરેક વ્યક્તિને સલામ કરીએ છીએ. આખા ભારતમાંથી, દરેક ક્ષેત્રમાંથી, અલગ-અલગ વિચારધારાઓમાંથી લોકો આવ્યા હતાં. જેમનો એક જ ઉદ્દેશ હતો એકબીજા સાથે મળીને કામ કરવું. ભારતના લોકશાહી ઢાંચાની રક્ષા કરવી અને તેના આદર્શોને જાળવી રાખવા. તેના માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આ તેમનો સામૂહિક સંઘર્ષ હતો. જેના લીધે તે સમયની કોંગ્રેસ સરકારે લોકશાહીની પુનઃસ્થાપના કરવી પડી. નવેસરથી ચૂંટણી કરાવવી પડી અને તેમાં કારમી હારનો સામનો કર્યો.

Tags: indiakatokatimodi
Previous Post

Tronscan: The All-in-One Platform for TRON Asset Management

Next Post

પ્રશાંત મહાસાગરમાં ડૂબ્યું 3000 વાહનોને લઇ જતું કાર્ગો જહાજ, ભીષણ આગ પણ લાગી

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ સાધારણ રહેવાની હવામાન વિભાગની આગાહી

April 14, 2026
તાજા સમાચાર

નકલી મેરેજ સર્ટિફિકેટનું દૂષણ અટકાવવા હવે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બને તેવી શક્યતા

April 14, 2026
તાજા સમાચાર

ડૉ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલી

April 14, 2026
Next Post
પ્રશાંત મહાસાગરમાં ડૂબ્યું 3000 વાહનોને લઇ જતું કાર્ગો જહાજ, ભીષણ આગ પણ લાગી

પ્રશાંત મહાસાગરમાં ડૂબ્યું 3000 વાહનોને લઇ જતું કાર્ગો જહાજ, ભીષણ આગ પણ લાગી

દક્ષિણ ગુજરાતમાં જાણે મેઘરાજા મહેરબાન : વલસાડમાં 6 તો ગણદેવીમાં પાંચ ઈંચ

પંચમહાલના શહેરા તાલુકામાં ભારે વરસાદના કારણે તૂટ્યું નાળું, સ્થાનિકોને હાલાકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.