અમદાવાદમાં ભગવાનની શ્રી જગન્નાથની ભવ્યાતિભવ્ય 148મી રથયાત્રા આવતીકાલે નીકળવાની છે.
આ દરમિયાન કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ના બને તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામં
આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રથયાત્રા દરમિયાન માર્ગ પર આગ કે પછી અકસ્માતની
ઘટના ના બને તે માટે ફાયરવિભાગ માત્ર 2 થી 4 મિનિટમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરી દેવામાં
આવી છે. રથયાત્રા દરમિયાન રૂટને સમયાંતરે ટ્રાફિક ફ્રી રાખવામાં આવશે. કારણ કે જો કોઈ
અકસ્માતની ઘટના ના બને તે માટે પૂરતી વ્યવસ્થા થઈ શકે.
અમદાવાદ પોલીસ અને રાજ્ય ગૃહ પ્રધાને હર્ષ સંઘવીએ પણ રથયાત્રા રૂટનું પરિક્ષણ કર્યું હતું.
રથયાત્રામાં પહેલી વખત ફાયરવિભાગે એઆઈની મદદ લીધી અને રોડ મેપ તૈયાર કર્યો છે. એઆઈ
દ્વારા 13 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યાં છે. જ્યાં ફાયર વિભાગના કર્મચારીઓને તૈનાત રાખવામાં
આવશે. જેથી જરૂર પડે ત્યારે સત્વરે તેમની મદદ લઈ શકાય. ફારયવિભાગ સિવાય 23,884 જવાનો
પણ બંદોબસ્ત માટે ખડેપગે રહેવાના છે. આ સાથે સાથે સમગ્ર રથયાત્રા દરમિયાન ગુજરાત પોલીસે
3500 સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ પણ કરશે. તેનો અર્થ એ છે કે, રથયાત્રા પહેલા વ્યવસ્થા અને
સુરક્ષાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.