ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ચીન પહોંચી ગયા છે. તેઓ ત્યાં શાંઘાઈ કોઓપરેશન
ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંરક્ષણમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો. આ મુલાકાત ખાસ એટલા માટે છે
કારણ કે, મે 2020માં પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટી માં ભારત અને ચીન વચ્ચે સરહદ પર ગંભીર લશ્કરી
તણાવ થયો હતો. તે પછી કોઈપણ ભારતીય વરિષ્ઠ મંત્રીની આ પ્રથમ ચીન યાત્રા છે. બે દિવસીય આ
બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આતંકવાદ સામે લડવા માટે દેશો વચ્ચે વધુ સહયોગ કરવાની વાત
કરશે
આ બેઠક દરમિયાન, રાજનાથ સિંહે આતંકવાદ, શાંતિ અને સુરક્ષા જેવા ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર
ચર્ચા કરી. તેમણે કહ્યું કે, ‘મારું માનવું છે કે આપણા પ્રદેશમાં સૌથી મોટી મુશ્કેલીઓ શાંતિ, સુરક્ષા અને
વિશ્વાસના અભાવ સાથે જોડાયેલી છે અને આ સમસ્યાઓનું મુખ્ય કારણ વધતો કટ્ટરવાદ, ઉગ્રવાદ અને
આતંકવાદ છે.’
રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે, ‘આતંકવાદ અને આતંકવાદી જૂથોના હાથમાં મોટા પાયે વિનાશ કરી
શકે તેવા શસ્ત્રો (WMD – Weapons of Mass Destruction)ના કારણે દેશમાં શાંતિ અને
સમૃદ્ધિને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ પડકારોનો સામનો કરવા માટે નિર્ણાયક કાર્યવાહી કરવાની જરૂર
છે અને આપણે આપણી સુરક્ષા માટે આતંકવાદ સામેની લડાઈમાં એકજૂટ થવું જોઈએ.