Tuesday, July 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરવો પડે તેવી સ્થિતિ

શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખી નિવૃત્ત શિક્ષકના સ્થાને બેરોજગાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરેલી

dharmendravaghela by dharmendravaghela
2025-07-28 13:34:30
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ટૂંક સમયમાં ભરતી રદનો નિર્ણય સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. નિવૃત શિક્ષકોની ભરતીના નિર્ણયની ચારેકોર ટીકા થઈ રહી છે. શિક્ષક સંઘોએ નિવૃત શિક્ષકોની ભરતીનો આક્રમક વિરોધ કર્યો છે. શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધી વાત પહોંચતા ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.
પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવા માટે નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો અને તેનો પરિપત્ર પણ જાહેર કરાયો હતો. જો કે આ પરિપત્રનો વિરોધ થઇ રહ્યો છે. શિક્ષકોના બંને સંગઠનોએ આ નિર્ણયની ટીકા કરી તો શિક્ષણશાસ્ત્રીઓએ વિભાગના આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે ત્યારે આ નિર્ણય રદ કરવાની શિક્ષણવિભાગને ફરજ પડે તેવા સંકેત મળી રહ્યા છે.કારણ કે અનેક યુવકો સરકારી નોકરીની શોધમાં છે. ખાસ કરીને ટેટ-ટાટ પાસ યુવકોને પણ વય મર્યાદાના કારણે નોકરી મળતી નથી ત્યારે નિવૃત થઈ ચૂકેલા શિક્ષકોને જરુર પડે તો ભરતી કરવાના નિર્ણયથી નારાજગી વધી રહી છે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા તમામના અભિપ્રાય અગાઉ અને પરિપત્ર જાહેર થયા બાદ પણ સ્પષ્ટ છે ત્યારે આ મુદ્દાને શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધો છે. નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ્દ કરી ભરતીના નિયમોમાં જરુર પ્રમાણે છૂટછાટ આપવા મુદ્દે સરકારમાં વિચારણા ચાલતી હોવાની જાણકારી મળી છે. જો કે નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવાનો નિર્ણય ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર થાય તેવું જાણકારો કહી રહ્યા છે. શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખી રજૂઆત કરી છે કે, નિવૃત્ત શિક્ષકના સ્થાને બેરોજગાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે. 2011 પછી કાયમી શિક્ષકોની ભરતી થઈ જ નથી અને સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકો અને જ્ઞાન સહાયકો ભરતી કરવામાં આવે છે. પરંતુ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી.

Tags: gujaratteacher recruitment
Previous Post

ભાવનગરના કરચલીયા પરામાં આવેલ રાંદલ માતાજીના મંદિર ખાતે જગનની ઉજવણી

Next Post

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત
તાજા સમાચાર

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત

July 28, 2025
ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ

July 28, 2025
અલ્લાહુ અકબરના નારા લગાવી વિમાનમાં બોમ્બની આપી ધમકી!
આંતરરાષ્ટ્રીય

અલ્લાહુ અકબરના નારા લગાવી વિમાનમાં બોમ્બની આપી ધમકી!

July 28, 2025
Next Post
ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત

મન્સુરી પિંજારા જમાત ભાવનગર દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ બુકનું વિતરણ

મન્સુરી પિંજારા જમાત ભાવનગર દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ બુકનું વિતરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.