Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બેઇજિંગમાં ભારે વરસાદ અને પુરથી તારાજી, 34 લોકોના મોત: 800000થી વધુનું સ્થળાંતર

136થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા ચીનના વડાપ્રધાન લી કિયાંગના નિર્દેશ

dharmendravaghela by dharmendravaghela
2025-07-29 11:43:22
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચીનમાં સતત વરસી રહેલા વરસાદ બાદ આવેલા પુરના લીધે ભારે તારાજી સર્જાઈ છે. ચીનના સરકારી અહેવાલ અનુસાર ચીનની રાજધાની બેઈજિંગની આસપાસના વિસ્તારના ભારે વરસાદના લીધે પુર આવ્યું છે. જેમાં અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે. જયારે 80,000 થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ચીનના સરકારી મીડીયાએ આપેલી માહિતી મુજબ રાજધાની બેઈજિંગના ઉત્તર વિસ્તારમાં અનેક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના લીધે અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેના લીધે 34 લોકોના મોત થયા છે. તેમજ બેઈજિંગથી 80,000 થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ અનેક રોડ ક્ષતિગ્રસ્ત થયા છે. જયારે 136થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.ચીનના બેઈજિંગમાં મિયુન જીલ્લામાં સૌથી વધુ 28 લોકોના મોત થયા છે. જયારે યાનકિંગ જીલ્લામાં બે લોકોના મોત થયા છે. આ ઉપરાંત સોમવારે બેઈજિંગ નજીકના હેબેઈ પ્રાંતમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં ચાર લોકોના મોત થયા છે. જયારે અન્ય 8 લોકો લાપતા છે. ચીનના વડાપ્રધાન લી કિયાંગના જણાવ્યા અનુસાર ભારે વરસાદ અને પુરથી ગંભીર જાનહાની થઈ છે. તેમણે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે બેઈજિંગ અને તેની આસપાસ સર્જાયેલી તબાહીની માહિતી મેળવી છે. તેમણે અધિકારીઓને લાપતા નાગરિકોને શોધવા અને બચાવ માટે નિર્દેશ આપ્યા છે. તેમજ સ્થળાંતર કરાયેલા લોકોને યોગ્ય વ્યવસ્થા આપવા પણ આદેશ આપ્યા છે. જયારે બેઈજિંગમાં અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવા અને શાળાઓ બંધ રાખવા અપીલ કરી છે.

Tags: BeijingChinafloodheavy rain
Previous Post

ન્યુયોર્કના મેનહટનમાં અંધાંધૂંઘ ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત પાંચના મોત

Next Post

આંદામાન-નિકોબાર ટાપુઓમાં મોડી રાત્રીના જોરદાર ભૂકંપ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
આંદામાન-નિકોબાર ટાપુઓમાં મોડી રાત્રીના જોરદાર ભૂકંપ

આંદામાન-નિકોબાર ટાપુઓમાં મોડી રાત્રીના જોરદાર ભૂકંપ

પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા પૂંછના 22 બાળકોના શિક્ષણની જવાબદારી રાહુલ ગાંધીએ લીધી

પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા પૂંછના 22 બાળકોના શિક્ષણની જવાબદારી રાહુલ ગાંધીએ લીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.