કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે સોમવારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 30 લાખ
ખેડૂત લાભાર્થીઓના ખાતામાં 3200 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. સતાવાર નિવેદન અનુસાર,
મધ્યપ્રદેશના ખેડૂતોને 1156 કરોડ રૂપિયા, રાજસ્થાનના 7 લાખ ખેડૂતોને 1121 કરોડ રૂપિયા,
છત્તીસગઢના ખેડૂતોને 150 કરોડ રૂપિયા અને અન્ય રાજ્યોના ખેડૂત લાભાર્થીઓને 773 કરોડ રૂપિયા
ટ્રાન્સફર કરવામાં આવશે.
આ રકમ રાજસ્થાનના ઝુંઝુનૂમાં એક કાર્યક્રમમાં લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. કૃષિ
મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપરાંત, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી
કિરોડીલાલ મીણા પણ તેમાં ઉપસ્થિત રહેશે.કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રએ ખેડૂતોના હિતમાં એક
નવી સરળ ક્લેમની પ્રણાલી રજૂ કરી છે, જે હેઠળ રાજ્યના પ્રીમિયમ યોગદાનની રાહ જોયા વિના, ફક્ત
કેન્દ્રીય સબસિડીના આધારે દાવાઓની ચૂકવણી પ્રમાણસર કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યને રસાયણમુક્ત બનાવવા અને પ્રાકૃતિક તેમજ સેન્દ્રીય ખેતીને વેગ આપવા
માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, જે ખેડૂતો પોતાની સેન્દ્રીય ખેત પેદાશોનું
સર્ટિફિકેશન કરાવે છે તેમને ખર્ચના 75% સુધીની સબસીડી મળશે. આ ઉપરાંત, આવા ખેડૂતોને વાર્ષિક
ધોરણે પ્રતિ હેક્ટર ₹5,000 ની ઇનપુટ સહાય પણ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે
ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.