અમદાવાદના વાતાવરણમાં આજથી પલટો આવે અને ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી
સંભાવના છે. વરસાદની સંભાવનાને પગલે ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મૂકાઈ ગયા છે. હવામાન
વિભાગ અનુસાર, શનિવારે વરસાદની સંભાવના નથી. અલબત્ત, રવિવારે બપોર બાદ વરસાદ પડી શકે
છે. અમદાવાદમાં બુધવાર સુધી હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેવી સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર, રવિવારે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જ્યારે સોમવારે સાબરકાંઠા,
ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર,
નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જ્યારે મંગળવારે અમદાવાદ, આણંદ, ભરૂચ,
સુરત, ડાંગ, નવસારી, વલસાડ, વાપી, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ,
અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.અમદાવાદમાં
શુક્રવારે દિવસ દરમિયાન 35.8 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. વરસાદની સંભાવનાને
પગલે રવિવારથી તાપમાન 32 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.