આજે સંસદ હુમલાની ઘટનાને ૨૪ વર્ષ થયા છે. રાષ્ટ્ર પોતાના બહાદુર સપૂતોને યાદ કરી રહ્યું છે, જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના, આતંકવાદીઓના કાવતરાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને અન્ય સાંસદોએ હુમલામાં શહીદ થયેલા સુરક્ષા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી અને તેમના બલિદાનને યાદ કર્યું હતું.
સંસદ હુમલામાં ઘણા સુરક્ષા કર્મચારીઓ શહીદ થયા હતા, અને આ ઘટનાને દેશભરમાં રાષ્ટ્રીય સુરક્ષા અને બહાદુરીની યાદ અપાવે છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલા સમારોહમાં, બધા નેતાઓએ ફૂલો ચઢાવીને અને શ્રદ્ધાંજલિ આપીને શહીદ સુરક્ષા કર્મચારીઓની અદમ્ય હિંમત અને બલિદાનનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે સંસદ સંકુલમાં મહાનુભાવો અને સુરક્ષા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને શહીદોને યાદ કરવામાં આવ્યા હતા.



