Friday, May 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હૈદરાબાદમાં છરીની અણીએ દારૂ પીવરાવ્યા બાદ સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ

સોમવારથી લાપતા થયેલી ૧૬ વર્ષીય વિદ્યાર્થિની ચેંગીચેરલાના એક ફ્લેટમાંથી મળી આવી : લોકોમાં ફીટકારની લાગણી

dharmendravaghela by dharmendravaghela
2026-02-20 11:45:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હૈદરાબાદમાં નરસિંગી વિસ્તારમાંથી લાપતા થયેલી 8માં ધોરણની વિદ્યાર્થિની સાથે ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે.નરાધમોએ છરીની અણીએ દારૂ પીવરાવ્યા બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

હૈદરાબાદના નરસિંગી વિસ્તારમાંથી ગત સોમવારથી લાપતા થયેલી 16 વર્ષીય વિદ્યાર્થિની ચેંગીચેરલાના એક ફ્લેટમાંથી મળી આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ત્રણ શખ્સોએ તેને બંધક બનાવી, ચપ્પુની અણીએ બળજબરીથી દારૂ પીવડાવી તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે એક 24 વર્ષીય યુવક અને એક સગીરની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજો આરોપી હજુ ફરાર છે.
ભોગ બનનાર સગીરા ધોરણ 8માં અભ્યાસ કરે છે. તે ધરપકડ કરાયેલા સગીર આરોપીને પહેલાથી ઓળખતી હતી, જે ચારમિનારની એક ફૂટવેર શોપમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. ગત 16 ફેબ્રુઆરીના રોજ શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થિની તેને મળવા ગઈ હતી. ત્યાંથી આરોપીઓ તેને લલચાવી-ફોસલાવી ચેંગીચેરલાના એક ખાલી એપાર્ટમેન્ટમાં લઈ ગયા હતા.

એપાર્ટમેન્ટમાં ત્રણેય નરાધમોએ સગીરા પર હુમલો કર્યો અને જીવથી મારી નાખવાની ધમકી આપીને તેને દારૂ પીવા મજબૂર કરી હતી. તબીબી તપાસમાં સગીરાના ખાનગી ભાગોમાં ગંભીર ઈજાઓ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે બુધવારે સગીરાને ફ્લેટમાંથી રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડી હતી.

સગીરા તેની નાની સાથે નરસિંગીની એક સોસાયટીમાં રહેતી હતી. સોમવારે સવારે તે સ્કૂલે જવા નીકળી હતી પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. કોઈ પત્તો ન મળતા મંગળવારે સવારે તેની માતાએ પોલીસમાં ગુમશુદગી અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આ પાપનો પર્દાફાશ કર્યો હતો.

Tags: haidrabadPOSCOsamuhik dushkarm
Previous Post

ગુજરાતમાં હવામાનની બેધારી ચાલ : પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ

Next Post

છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભાવનગરમાં બાઈક રેલીનું આયોજન

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post

છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભાવનગરમાં બાઈક રેલીનું આયોજન

તરસમીયામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડે આપવામાં આવેલ આવાસોને સીલ કરાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.