ઓડિશાના કટકમાં આવેલ એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગમાં ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ ભીષણ આગના કારણે 10 લોકોના મોત થયા હોવાનું પણ સૂત્રાએ જણાવ્યું છે. આ 10 લોકોમાં મોટાભાગના દર્દીઓ સામેલ હતાં. આજે સવારે 3 વાગ્યાની આસપાસ ટ્રોમા કેર વિભાગમાં આગ લાગી હતી. ટ્રોમા કેર આઈસીયુમાં દાખલ કરેલા દર્દીઓનું પણ મોત થયું છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અગમ્ય કારણોસર ટ્રોમા કેર વિભાગના ઈમરજન્સી વિભાગમાં પહેલા માળ પર આગ લાગી હતી. આ લાગ લાગતાની સાથે જ ફાયર સેફ્ટી સિસ્ટમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યાં હતાં. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની ત્રણ ગાડીઓને પણ તૈનાત કરી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં આગ લાગી હોવાના કારણે ભાગદોડ સર્જાઈ હતી.
સ્થિતિને જોતા આઈસીયુમાં ભરતી કરેલા દર્દીઓને અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં હતાં. તેમ છતાં 10 લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ શા કારણે લાગી તે અંગે કોઈ જાણકારી મળી નથી. જેથી આગ શા કારણે લાગી તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હોસ્પિટલની સુરક્ષા પર સવાલો થઈ રહ્યાં છે.
આ મામલે જાણ થતાની સાથે જ રાજ્યના મુખ્ય પ્રધાન મોહન માઝી હોસ્પિટલ પહોંચીને આ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં પરંતુ દર્દીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં ત્યાં જઈને દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. મુખ્ય પ્રધાન સાથે ઘટનાસ્થળ પર અન્ય અનેક અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.