ઉમરાળા તાલુકા સરકારી તંત્રની બેદરકારી અત્યંત દુઃખદ તેમજ અનશન ભૂખ હડતાલ બાબતે શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં ઘણા વિદ્યાર્થીઓ પુસ્તકો વગર અભ્યાસ કરી રહ્યા છે પુસ્તકે વિદ્યાર્થીનુ મુખ્ય શૈક્ષણિક સાધન સમયસર પુસ્તક ન મળવાથી વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન થાય છે દરેક વિદ્યાર્થીઓને શિક્ષણનો સામાન અધિકાર છે
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચાલશે નહીં પુસ્તક મળવા જોઈએ શિક્ષિત બનો બાબા સાહેબ આંબેડકરના સૂત્રને સમર્થક કરનાર ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છેલ્લા ત્રણ દિવસથી ઉમરાળા મામલતદાર કચેરી ની સામે અન્નોનો ત્યાગ કરીને લડત કરી રહ્યા છે આથી ખરેખર શક્તિસિંહ શિક્ષણ અને બાળકોના ભવિષ્યની ચિંતા કરનાર વ્યક્તિ છે તથા ઘોર નિંદ્રામાં ચૂતેલી સરકારને જગાડવા પ્રયત્ન કરી રહ્યા છે તેમના આ ભગીરથ કાર્ય બદલશે બદલ ઉમરાળા તાલુકાના સમગ્ર જાતિ સમાજ દ્વારા સમર્થન જાહેર કરીએ છીએ તેમના આગામી 48 કલાકમાં આ મુદ્દે ન્યાયક સમાધાન કે પ્રશ્ન ઉકેલ પ્રશાસન દ્વારા ન કરવામાં આવે તો અમો સમગ્ર અનુચૂચિત જાતિ ઉમરાળા તાલુકા લોકો વતી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ અનશન ઉપર બેસવામાં આવશે તેવી ગંભીર ચીમકી ઉચ્ચારી હતી




